ગુજરાત રાજ્યના આ લોકોને માટે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,જાણો વિગતવાર

Published on: 12:25 pm, Thu, 22 October 20

ગુજરાતની વિજય રૂપાણી સરકારે પગારદારો અંગે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે ફિક્સ પગારદારોની યોજના હેઠળ વર્ગ 3 અને વર્ગ 4 જગ્યાઓ પર ભરતી થનારા અને કાયમી થઈ ગયેલા કર્મચારીઓ પૂર્વ સેના તાલીમને અંતે પરીક્ષા પાસ નહીં કરનાર સરકારી કર્મચારીને સેવામાંથી દૂર પકડાવી ઘરભેગા કરી શકશે. રાજ્યના નાણાં વિભાગે 18 વર્ષે જુના ઠરાવમાં કરારની શરતોનું શુક્રવારે ફેરફાર કર્યો છે. નાણા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી જે.બી.પટેલની સહીથી પ્રચલિત કરાયેલા નવા ઠરાવમાં કરારની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ફિકસ વેતન યોજના હેઠળ ભરતી પછી નોકરીને તબક્કે થતા કરારનામાના નવો નમૂનો આ સુધારામાં ઠરાવમાં આપવામાં આવ્યો છે.કરાર આધારિત કર્મચારીને કરાર ના સમયગાળામાં કે પછી પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યાના બે વર્ષની અંદર વર્ગ 3 ની જગ્યાની નિયત પૂર્વ સેવા તાલીમ અને તાલીમની અંતે પરીક્ષા પાસ કરવાની છે.

આ સમયગાળા દરમિયાન નિયત તકોમાં પૂર્વ સેવા તાલીમ ને અંતે પરીક્ષા પાસ નહીં કરે તો તેમને સંબંધિત જગ્યા ઉપર નિયમિત પગાર ધોરણ માં આપવામાં આવેલ નિમણૂકના હુકમો રદ કરીને તેમની સેવા નો અંત લાવવા અંગેની વિચારણા કરવાની રહેશે.આ સુધારા ઠરાવથી કરાર .

આધારિત કર્મચારી નિયમિત નિમણૂંકની તબક્કે સરકાર દ્વારા લેવાતી પૂર્વ સેવા તાલીમન્ત સેવા પાસ નહીં કરે તો તેને નિયમિત અથાત કાયમી કર્યા પછી પણ નોકરીમાંથી બરખાસ્ત કરવાનો નિર્ણય લેવાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના આ લોકોને માટે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*