માતા પિતા બે બાળકોને ઘરે મૂકીને કામ પર ચાલ્યા ગયા…ત્યારબાદ થયું કંઈક એવું કે બંને બાળકોના કરુણ મૃત્યુ…ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 10:50 am, Wed, 10 August 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજ કરંટ લાગવાના કારણે બે માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બંને બાળકોના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે બંને બાળકો ઘરે એકલા હતા.

મળતી માહિતી અનુસાર ઘરમાં ચાલતા પંખા ના વાયરથી વીજ કરંટ લાગવાના કારણે બે માસુમ બાળકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના શામલી જિલ્લાના બાબરી પોલીસ સ્ટેશન વિસ્તારના ભદૌડા ગામમાં બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મંગળવાના રોજ સુશીલ અને ધન્ના નામના બે ભાઈઓ પોતાની પત્ની સાથે કામ પર ગયા હતા. આ દરમિયાન વિનય અને વિક્રાંત નામના બંને બાળકો ઘરે એકલા હતા. બંને બાળકોની ઉંમર સાત થી આઠ વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ દરમિયાન વિનય અને વિક્રાંતને પંખાના વાયરથી વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે બંનેના કારણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. એક જ પરિવારના બે માસુમ બાળકોના મૃત્યુ થતાં પરિવારમાં અને ગામના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃતક બાળકોના પરિવારજનો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ બોલી છે લેખિતમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા પણ આવી ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે.

એટલા માટે દરેક માતા પિતાઓને ખાસ સૂચના છે કે જો તમારા બાળકો નાના હોય તો તેની કોઈ પણ દિવસ કરે એકલા ન મુકતા. કારણકે આપણી એક નાનકડી એવી ભૂલના કારણે આપણા બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા પિતા બે બાળકોને ઘરે મૂકીને કામ પર ચાલ્યા ગયા…ત્યારબાદ થયું કંઈક એવું કે બંને બાળકોના કરુણ મૃત્યુ…ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*