ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરવામાં આવશે : ગોપાલ ઈટાલિયા

Published on: 11:49 am, Sat, 22 October 22

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે નવા વર્ષે અને પ્રકાશના તહેવાર દિવાળીના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હું તમામ ભારતવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને આ સાથે ખુશીના સમાચાર આપતા મને બહુ ગર્વ થાય છે કે ચૂંટણી સમયે આપેલી

ગેરંટીઓ પૂરી કરવા માટે આમ આદમી પાર્ટી હંમેશા જાણીતી પાર્ટી છે અને સમગ્ર ભારત દેશ ઉદાહરણ જાણે છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કામ કરીને બતાવે છે. ફક્ત ચૂંટણી સમયે વાયદા કરવાના અને સાડા ચાર વર્ષ સુધી કોઈનું કામ ન કરવાનું અને ચૂંટણીના છેલ્લા મહિનામાં અવનવી જાહેરાતો કરીને જનતાને

છેતરવાનું કામ આમ આદમી પાર્ટી કરતી નથી અને આમ આદમી પાર્ટી ચૂંટણી દરમિયાન બોલે છે તે જીત્યા બાદ તરત અમલમાં મૂકે છે તેવું ગોપાલ ઇટાલીયા મીડિયા ને કહ્યું હતું.તેઓએ વધુમાં જણાવ્યું કે પંજાબમાં ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવત મન કર્મચારીઓને ગેરંટી આપી હતી કે

જૂની પેન્શન યોજના જે કર્મચારીઓનો અધિકાર છે તે લાગુ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી ઉપર અરવિંદ કેજરીવાલ અને ભગવત માનજી ઉપર ગર્વ થાય છે કારણ કે સારા નેતૃત્વમાં સરકાર બન્યાના છ મહિનાની અંદર તરત ને તરત નિર્ણય લેવામાં આવી રહ્યા છે જે જનતાને ગેરંટી આપી હતી તે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરવામાં આવશે : ગોપાલ ઈટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*