ગુજરાતમાં કોરોના નવા કેસ નો આંકડો 100 નીચે આવી ગયો, આજે આટલા કેસ નોંધાયા અને આટલા મૃત્યુ થયા.

Published on: 10:43 pm, Mon, 28 June 21

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 96 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોના ના કારણે ત્રણ દર્દીઓને મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ફરી એક વખત કોરાણા ના કેસ માં ઘટાડો થયો છે. અને કોરોના માંથી રિકવરી મળતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના ના કારણે 10054 લોકોના મૃત્યુ થયા છે. આજરોજ રાજ્યમાં કોરોના માંથી રિકવરી મળતા દર્દીઓની સંખ્યા 300 ને પાર પહોંચી છે.

આ જ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી 809821 દર્દીઓને કોરોના માંથી રિકવરી મળી છે. રાજ્યમાં આજે 14 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 25128251 લોકોનું રસીકરણ થઈ ગયું છે.

આજરોજ રાજ્યમાં 249152 લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ શહેરમાં આજે કોરોના નવા 21 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ પણ કેસ નોંધાયો નથી.

સુરત શહેરમાં આજે કોરોના નવા 11 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ નોંધાયા છે. વડોદરામાં આજે કોરોના નવા 10 અને ગામને વિસ્તારમાં 6 કેસ નોંધાયા છે. રાજકોટમાં આજે કોરોના નવા 8 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં કોરોના નવા કેસ નો આંકડો 100 નીચે આવી ગયો, આજે આટલા કેસ નોંધાયા અને આટલા મૃત્યુ થયા."

Leave a comment

Your email address will not be published.


*