તૌકતે વાવાઝોડાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો વિગતે.

Published on: 9:36 am, Tue, 18 May 21

તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ધમરોળવાનુ શરૂ કરી દીધું છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ખૂબ જ ખરાબ દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન એક રાહત ના સમાચાર સામે આવ્યા છે કે વાવાઝોડું આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે. રાજ્યમાં વાવાઝોડાના કારણે 4231 ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાયો હતો.

જેમાંથી 1958 ગામડાઓમાં ખોરવાયેલો વીજપુરવઠો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના 2273 ગામડાઓમાં હજુ પણ વીજ પુરવઠો બંધ છે. 3505 ગામડાઓમાં ફીડર, 1077 વીજ પોલ અને 25 ટ્રાન્સમીટર બંધ છે.

વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામા 8 ઇંચ નોંધાયો છે.

ગીર સોમનાથના ગીરગઢડામાં સાડા સાત ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઈંચ તથા ગીર-સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.

અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતા આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે અને શહેરમાં પવનની ગતિમાં વધારો થયો છે.

વાસણા, શેલણા, એસ.જી.હાઈવે, પ્રહલાદ નગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદ નગર, ઇસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈટ, નિકોલ અને નરોડા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તૌકતે વાવાઝોડાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*