રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની પ્રથમ બેઠકમાં ગુજરાતની જનતાને આપી આ મોટી ભેટ, સહાયનો ધોધ વરસાવ્યો

Published on: 6:08 pm, Wed, 22 September 21

આજરોજ ગુજરાત કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં મહત્ત્વના ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા.પુર અસરગ્રસ્ત રાજકોટ,જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનોના નુકસાન પામેલા લોકોને સહાય આપવાના ધારા ધોરણ માં વધારો કરવામાં આવ્યો હતો.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી કેબિનેટમાં લીધેલા નિર્ણયો ની માહિતી આપી હતી. આજની કેબિનેટની બેઠકમાં ઘરવખરી નુકસાનના વળતર માં વધારો, કાચા મકાનને નુકશાન ના વળતરમાં વધારો, પાક નુકશાન ના વળતરમાં વધારો તથા ઘેટા બકરા અને દૂધ આપતા પશુઓ ના મૃત્યુ ના કિસ્સામાં વળતરમાં વધારો કરવામાં આવ્યો છે.

જીતુભાઈ જણાવ્યું કે ઘરવખરી નુકસાન કે તણાઈ જવાના કિસ્સામાં SDRF ની 3800 રૂપિયાની સહાયમાં આજે મંત્રીમંડળ વધારાના 3200 રૂપિયાની સહાય આપીને પરિવાર દીઠ 7000 રૂપિયા સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમને ઉમેર્યું કે તીવ્ર વરસાદથી જે ઝુપડાઓ નાશ પામ્યા છે તેવા કિસ્સામાં રાજ્ય સરકારે 5900 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય કર્યો છે.

ભારે વરસાદથી નાશ પામેલા પાકા મકાનો માટે રાજ્ય સરકાર દ્વારા વધારાના 9800 રૂપિયા આપીને 15 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. ભારે વરસાદના કારણે ગાય, ભેંસ જેવા મોટા દુધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર 3 પશુ મૃત્યુ સુધી સહાય આપવામાં આવતી જે હવેથી પાંચ પશુ મૃત્યુ સુધી દીઠ 50 હજાર રૂપિયાની સહાય પશુપાલકોને આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની પ્રથમ બેઠકમાં ગુજરાતની જનતાને આપી આ મોટી ભેટ, સહાયનો ધોધ વરસાવ્યો"

Leave a comment

Your email address will not be published.


*