માતાએ પોતાની 3 દીકરીઓને પાણીની ટાંકીમાં ફેંકી દીધી અને ત્યારબાદ માતા પણ પાણીની ટાંકીમાં કૂદી ગઈ, ચારેયના મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 10:44 am, Sat, 7 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી અને રૂંવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. એક માતાએ પોતાની ત્રણ દીકરીઓ સાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ચોંકાવનારી ઘટના ગઈકાલે રાજસ્થાનના બાડમેર માં બની હતી. આ પહેલા ગુરૂવારના રોજ ચિત્તોડગઢ માં આવી જ એક ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર બાડમેરના બાયતુમાં એક માતાએ પોતાની ત્રણ દીકરીઓને એક પછી એક પાણીથી ભરેલા ટાંકામાં ફેંકી દીધી અને ત્યારબાદ માતા પોતે બીજા ટાંકામાં કુદી ગયો. આ ઘટનામાં ચારેયના કરૂણ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ઘટના બનતા જ પરિવારજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને શોકનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈ કાલે સવારે લગભગ છ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર જ્યારે પરિવારના સભ્યોએ માસૂમ દીકરીઓ અને તેની માતાને ઘરે ન જોયા ત્યારે તેમની શોધખોળ શરૂ કરી હતી.

જ્યારે પરિવારના લોકોએ ટાંકીમાં જોયું ત્યારે છાતીમાં ત્રણ દિકરીઓના મૃતદેહ કરતા જોવા મળ્યા હતા અને બીજી ટાંકીમાં તેની માતાનું મૃતદેહ જોવા મળ્યું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસ અને ગામના લોકોને કરી હતી. આ ઘટનામાં 30 વર્ષીય જસ્સી, 6 વર્ષીય જ્યોત્સના, 4 વર્ષીય મોનિકા અને 2 વર્ષીય દીક્ષાનું કરૂણ મૃત્યુ થયું છે.

ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસે ગામના લોકોની મદદથી ચારેય ના મૃતદેહને પાણીની ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જસ્સીના લગ્નને 10 વર્ષ પહેલા કૌશલરામ નામના યુવક સાથે થયા હતા. માતાએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનો અને ગામના લોકોના નિવેદન લીધા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે પતિને નશો કરવાની આદત હતી અને તેના કારણે પત્ની ખૂબ જ પરેશાન નથી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, પતિના નશાના આદતના કારણે પત્નીએ આ પગલું ભર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતાએ પોતાની 3 દીકરીઓને પાણીની ટાંકીમાં ફેંકી દીધી અને ત્યારબાદ માતા પણ પાણીની ટાંકીમાં કૂદી ગઈ, ચારેયના મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*