માતાએ સૌપ્રથમ દીકરીને નાખી દીધી પાણીની ટાંકીમાં ત્યારબાદ માતાએ પણ પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો શા માટે કર્યું આવું…

Published on: 10:45 am, Fri, 3 September 21

આજકાલ અમુક એવી ઘટનાઓ સામે આવી રહે છે કે જેને જાણીને તમે પણ દંગ થઈ જશો. તમે કોઈ દિવસ નહિ વિચાર્યું હોય તેવી ઘટનાઓ બની રહે છે. ત્યારે હાલમાં જ સંતરામપુર તાલુકાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ગીતાબેન ના લગ્ન ST વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઈ સાથે થયા હતા. ગીતાબેન ને બે બાળકીઓ છે તેના કારણે ગીતાબેન ના પતિ તેમને વારંવાર કહેતા હતા કે તારે છોકરો નથી.

આવું કહીને ગીતાબેન ના પતિ તેમની સાથે માથાકૂટ કરતા અને માનસિક રીતે ત્રાસ આપતા હતા. આ ઉપરાંત ગીતાબેનના પતિએ તેમણે એમ પણ કહ્યું હતું કે ઘરે બીજી પત્ની લાવવાનું છું.

જેના કારણે ગીતાબેન ત્રાસથી કંટાળીને પોતાની લાડકી એક દીકરીને ઘરના આંગણામાં પાણી ની ટાંકી માં નાખી દીધી હતી. અને પોતે પણ રૂમમાં જઈને પંખા સાથે રૂમાલ સાથે લટકાવીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

પતિના ત્રાસથી તેમની પત્ની ગીતાબેન અને તેમની નાની દીકરી એ મજબૂત બનીને પોતાનો જીવ તો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને ગીતાબેનના પરિવારના જીતેન્દ્રભાઈ અર્જુનભાઈ બારીયાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ઘટનાને લઇને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સંતરામપુર પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતાએ સૌપ્રથમ દીકરીને નાખી દીધી પાણીની ટાંકીમાં ત્યારબાદ માતાએ પણ પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો શા માટે કર્યું આવું…"

Leave a comment

Your email address will not be published.


*