પૈસાને લઈને માતા અને 8 વર્ષના દીકરાનો ઘરમાં ઘૂસીને જીવ લઈ લેવામાં આવ્યો, મૃત્યુ પામેલી મહિલાના પતિનું કહેવું છે કે…

Published on: 3:10 pm, Fri, 27 May 22

ગુરૂવારના રોજ સાંજે બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતા અને તેના 8 વર્ષના દીકરા નો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક મહિલાની બહેન અને તેની બહેનના થનાર પતિની ધરપકડ કરી છે. પોલીસે બંને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે, પિતાની મિલકત ને લઈને મૃત્યુ પામેલી મહિલા અને તેની બહેન વચ્ચે માથાકૂટ ચાલતી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના પિતાએ એક સરકારી નોકરીમાં હતા. નોકરીમાં તેમનું ફરજ પર કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાને કોઈ ભાઈ નથી.

મૃત્યુ પામેલી મહિલા અને એક બહેન છે. જેથી મૃત્યુ પામેલી મહિલા અને તેની બહેન તેના પિતાની સમગ્ર મિલકતના વારસદાર હતા. બસ આ મિલકતને લઈને બંને બહેનો વચ્ચે માથાકુટ થઇ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી 37 વર્ષીય મહિલાનું નામ શિખા વર્મા હતું. તેના 8 વર્ષના દીકરાનું નામ ગિરબાસુ હતું. આ સમગ્ર ચોંકાવનારી ઘટના અલીગઢના સુરેન્દ્રનગર વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે મહિલાનો પતિ લલિત વર્મા ઘરે ન હતો. મળતી માહિતી અનુસાર લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસેલા લુટેરાઓએ માતા અને દીકરાઓનો જીવ લીધો છે, તેવું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર લુટેરાઓએ ધારદાર વસ્તુ વડે મહિલા અને તેના બાળકનો જીવ લીધો હતો. ત્યારબાદ લુટેરાઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

આ સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત પોલીસ દ્વારા ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોર્ડ અને બોલાવી લેવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિના ફરિયાદના આધારે મૃતક મહિલાની બહેન અંજલી વર્મા અને તેના થનાર પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ પોલીસે અંજલી વર્મા અને તેના થનાર પતિની ધરપકડ કરીને બંનેની પૂછપરછ કરી હતી. ઉપરાંત પોલીસે વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા છે.

મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે લલિતની પત્ની અને તેનો દીકરો ઘરે એકલા હતા. લલિતની બે દીકરીઓ મથુરા તેના માસીના ઘરે ગઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલાના પિતાના મૃત્યુ બાદ પિતાના ફંડમાં 45 લાખ રૂપિયા હતા. આ 45 લાખ રૂપિયા લઈને મહિલાનો અને તેના દીકરા નો જીવ લઈ લેવામાં આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પૈસાને લઈને માતા અને 8 વર્ષના દીકરાનો ઘરમાં ઘૂસીને જીવ લઈ લેવામાં આવ્યો, મૃત્યુ પામેલી મહિલાના પતિનું કહેવું છે કે…"

Leave a comment

Your email address will not be published.


*