અકસ્માતમાં માતાએ બીજો દીકરો પણ ગુમાવ્યો, દીકરાના લગ્નની ઈચ્છા અધૂરી રહી ગઈ, માતાના રડી-રડીને બેહાલ…

Published on: 10:41 am, Wed, 5 October 22

વડોદરા શહેરના દરજીપુરા ખાતે ગઈકાલે બપોરે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક કન્ટેનર ચાલકે છકડા રીક્ષાની કચડી નાખી હતી. આ ઘટનામાં 10 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ગંભીર અકસ્માત બનતા જ ચારે બાજુમાં છવાઈ ગયો છે. આ અકસ્માતની ઘટનાના કારણે હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે.

છકડા ચાલક પરિવારમાં અગાઉ પણ એક દીકરાનું મૃત્યુ થયું હતું અને આ અકસ્માતની ઘટનામાં બીજા દીકરાનું પણ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વેજરીયા ગામના મૂળ વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરાના દાંતેશ્વર વિસ્તારમાં આવેલ ભગવત નગરમાં રહેતા 22 વર્ષીય વિરપાલસિંહ સુરેન્દ્રસિંહ ચાવડા નામનો યુવક પોતાના માતા પિતા સાથે રહેતો હતો.

મળતી માહિતી અનુસાર વિરપાલસિંહ છકડો ચલાવતો હતો. ગઈકાલે સવારે તે 09:00 વાગ્યાની આસપાસ દરરોજની જેમ છકડો લઈને ધંધા ઉપર નીકળી ગયો હતો. વિરપાલસિંહ ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી સુધી મુસાફરોને લઈ જવાનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે ગઈકાલે લગભગ બપોરના 11:30 વાગ્યાની આસપાસ તે પોતાના છકડામાં 14 મુસાફરોને લઈને કપુરાઈ તરફ જવા માટે નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં દરજીપુર પાસે રોંગ સાઈડમાં આવતા કન્ટેનરે છકડાને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં છકડામાં સવાર તમામ લોકો છકડાની નીચે દબાઈ ગયા હતા. જેના પગલે બે બાળકો સહિત દસ લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં છકડા ચાલક વીરપાલસિંહ ચાવડાનું પણ મૃત્યુ નીપજ્યું છે.

વિરપાલસિંહ ના મૃત્યુના સમાચાર સાંભળીને તેના માતા-પિતા તાત્કાલિક ધોરણે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વિરપાલસિંહનું મૃત્યુ જોઈને તેના પિતા સુરેન્દ્રસિંહ અને માતા ગીતાબેન ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. આ ઘટના બનતા જ હોસ્પિટલમાં એક સન્નાટો પથરાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા વિરપાલસિંહના પિતા સુરેન્દ્રસિંહ એ જણાવ્યું કે, અમારા એક દીકરાનું મૃત્યુ અગાઉ થયું હતું. ત્યારે આજે બીજા દીકરાનું મૃત્યુ થતાં અમારો આધાર છીનવાઈ ગયો છે. મારો પુત્ર પરિવારનો આધાર હતો. આ વર્ષે અમે અમારા દીકરાના લગ્નના સપના પણ જોઈ રહ્યા હતા પરંતુ અમે અમારા દીકરાની લગ્નની ઈચ્છા પૂરી કરી શક્યા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અકસ્માતમાં માતાએ બીજો દીકરો પણ ગુમાવ્યો, દીકરાના લગ્નની ઈચ્છા અધૂરી રહી ગઈ, માતાના રડી-રડીને બેહાલ…"

Leave a comment

Your email address will not be published.


*