માતાએ પોતાના દીકરા સાથે મળીને પિતાનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ હચમચી જ હશો…

Published on: 4:12 pm, Fri, 7 October 22

મિત્રો દિવસેને દિવસે સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ઘણી વખત કેટલાક લોકો પૈસાની લાલચમાં પોતાના જ પરિવારના સભ્યોનો જીવ લઈ લેતા હોય છે. ત્યારે 4 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર મેરતાના કુરડાયા ગામમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા વ્યક્તિના મોટાભાઈ આરોપ લગાવ્યા હતા કે, 4 ઓક્ટોબરના રોજ 57 વર્ષના નેમારામનો તેની પત્નીએ ગળું દબાવીને જીવ લઈ લીધો છે.

ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા નેમારામની 47 વર્ષીય પત્ની શારદાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસની કડક પૂછપરછ દરમિયાન શારદાય પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને આ ઘટનામાં તેનો દીકરો પણ તેની સાથે હતો, તેવું જણાવ્યું હતું. ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુરુવારના રોજ સાંજના સમયે મૃત્યુ પામેલા નેમારામના 25 વર્ષના પુત્ર રવિન્દ્રની પણ ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, નેમારામને ડ્રગ્સની લત લાગી ગઈ હતી. જેનાથી તેની પત્ની અને તેનો પુત્ર ખૂબ જ નારાજ રહેતા હતા. નેમારામની આ લતના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા. જેનાથી તેનો પુત્ર અને તેની પત્ની ખૂબ જ કંટાળી ગયા હતા. જેથી મા દીકરાએ મળીને નેમારામનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. જીવ લેવા પાછળનો માત્ર એક હેતુ ન હતો.

મળતી માહિતી અનુસાર ખૂબ જ મોટી લોન માફ કરાવવા માટે માં અને દીકરાએ નેમારામનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. ત્રણ મહિના પહેલા નેમારામે ટ્રેક્ટર અને પીકપઅ ખરીદીને બંને વાહન પર 20 લાખ રૂપિયા ની લોન લીધી હતી. આ ઉપરાંત નેમારામે 30 લાખનો વીમો પણ કરાવ્યો હતો. 50 લાખ રૂપિયા મેળવવા માટે માં અને દીકરાએ મળીને નેમારામનો જીવ લઈ લીધો હતો.

ત્યારબાદ બંને એમ પરિવારના લોકોને કહ્યું હતું કે, નેમારામનું મૃત્યુ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે. ત્યારબાદ અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા બાદ આ ઘટનાના તમામ પુરાવા નાશ કરી દેવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા નેમારામના બંને ભાઈઓએ નેમારામના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન જોયા હતા.

ત્યારે બંને ભાઈઓએ આ વાત વિશે નેમારામની પત્ની અને દીકરાને પૂછ્યું ત્યારે બંનેએ જણાવ્યું હતું કે, તેઓ એક દિવસ પહેલા ગાડી ઉપરથી પડી ગયા હતા જેના કારણે તેમને આ વિઝા પહોંચી હતી. પરંતુ પરિવારના સભ્યોને શંકા ગઈ હતી. અંતિમ સંસ્કાર કર્યા બાદ પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિને પત્નીની ધરપકડ કરી હતી. ત્યારે કડક પૂછપરછ દરમિયાન એક પત્નીએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને ખુલાસો થયો હતો કે આ ઘટનામાં શારદાની સાથે તેના દીકરોનો પણ હાથ હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ પોતાના દીકરા સાથે મળીને પિતાનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ હચમચી જ હશો…"

Leave a comment

Your email address will not be published.


*