ડુંગળીના ભાવમાં વધારો ન થાય તે માટે મોદી સરકારે કરી આ તૈયારી, રાજ્યોને આપ્યા આ 5 આદેશ.

Published on: 11:00 am, Sun, 2 May 21

કેન્દ્ર સરકાર દર વચ્ચે ડુંગળીના ભાવ વધારાની મુશ્કેલી ને ટાળવા માટે આગોતરી તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં રાજસ્થાન સહિત ડુંગળીની ખેતી કરનાર પાંચ રાજ્યોનો આગામી ખરીફ સીઝન દરમિયાન તેનું વાવેતર 9900 હેકટર વધારવા જણાવ્યું છે.

જેથી ભાવમાં અતિશય વધારાની સ્થિતિથી બચી શકાય છે. ખરીફ સીઝનમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં મુખ્ય ડુંગળી ઉત્પાદક રાજ્ય છે.

જ્યારે રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ બિન પરંપરાગત રીતે ડુંગળીનું ઉત્પાદન કરનારા રાજ્યો છે. સરકારે ડુંગળી ની નિયમિત રીતે મોટા સ્તરે ખેતી ન કરનાર રાજ્યોને જ ડુંગળીનું ઉત્પાદન વધારવા કહ્યું છે.

પાક વર્ષ 2021-22 ની આગામી ખરીફ સીઝન માટે રણનીતિ તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેને કહ્યું છે કે કુદરતી આપત્તિઓને કારણે પરંપરાગત ડુંગળી ઉત્પાદક ક્ષેત્રોમાં ઉપલબ્ધતા પ્રભાવિત થાય તો તેનાથી મદદ મળશે.

સરકારે પાંચ બિન પરંપરાગત ઉત્પાદક રાજ્યોને ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં ડુંગળીના વાવેતર વિસ્તાર વધારીને 51000 હેક્ટર કરવા જણાવ્યું છે જે એક વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 41,081 હેકટર હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ડુંગળીના ભાવમાં વધારો ન થાય તે માટે મોદી સરકારે કરી આ તૈયારી, રાજ્યોને આપ્યા આ 5 આદેશ."

Leave a comment

Your email address will not be published.


*