કોરોના વેક્સિનેશન માટે મોદી સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, આ પદ્ધતિથી મળશે ડોઝ.

Published on: 2:53 pm, Tue, 8 June 21

કેન્દ્ર સરકારે કોરોના ની વેક્સિનેશન કાર્યક્રમ માટે સુધારા-વધારા કરીને નવી માર્ગદર્શિકા જાહેર કરશે. આ માર્ગદર્શિકા 21 જૂનના રોજ લાગુ કરવામાં આવશે. ગાઈડલાઈન્સ મુજબ પોલ્યુલેશન, કેસલોડ અને વેક્સિનેશન ની ઝડપ ના આધારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વેક્સિનના ડોઝ આપવામાં આવશે.

સોમવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે 18 થી 44 વર્ષની ઉંમરના લોકોના વેક્સિન આપવા માટે રાજ્યો વેક્સિન મફતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. બે અઠવાડિયામાં તેની સાથે જોડાયેલી નક્કી કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે આખા દેશમાં દરેક વ્યક્તિને આપણે 21 જૂનની શરૂઆતથી બધા વ્યક્તિઓને મફત વેક્સિન આપવામાં આવશે. 21 જૂન ના રોજ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને મફત વેક્સિન આપશે.

રાજ્ય સરકાર માટે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે રાજ્ય સરકારની એક્શન પાછળ એક પણ ખર્ચો નહીં પડે ને તેના કારણે રાજ્યમાં વેક્સિનેશન અભિયાન ખૂબ જ વધારે ઝડપ પકડશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં કોરોના કેસ કરતા ઘણા રાજ્યોમાં પ્રતિબંધ ધીમે ધીમે દૂર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રતિબંધો દૂર કર્યા છે તો એમ ન માનતા કે કોરોનાવાયરસ થયો છે પરંતુ એનાથી સાવચેત રહેજો અને કોરોના ના તમામ પ્રોટોકોલનો પાલન કરશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના વેક્સિનેશન માટે મોદી સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, આ પદ્ધતિથી મળશે ડોઝ."

Leave a comment

Your email address will not be published.


*