વાવાઝોડાના કારણે રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે તો આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે.
જેમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ,મહેસાણા અને અરવલ્લી નો સમાવેશ થાય છે. જોકે ગુરૂવારે સાંજ સુધીમાં વાતાવરણ પૂર્વવત થાય તેવી સંભાવના છે.
વાવાઝોડા ના લીધે મકાન ધરાશાયી થવાથી, વીજળીના થાંભલા પડવાથી અને કરંટ લાગવાના લીધે રાજ્યમાં 13 લોકોના મોત નિપજ્યા છે. અને વાવાઝોડાના કારણે રાજ્યભરમાં અનેક પક્ષીઓના મોત પણ થયા છે.
ગઈકાલે દિવસ પર વાવાઝોડા ની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે.
5951 ગામમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ગઈ છે.3850 ગામમા વીજ પુરવઠા ની કામગીરી ચાલુ છે. 220kv ના 5 સબટેસન અસરગ્રસ્ત થયા હતા જેમાંથી એક સબ સ્ટેશન શરૂ થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો કયા વિસ્તારમાં વરસાદ તૂટી પડશે."