ભાવનગરના હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા LRDના જવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે ભર્યું પગલું…

Published on: 12:51 pm, Tue, 18 January 22

ભાવનગર શહેરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા LRD ના જવાને ગુરૂવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. LRD જવાને પોલીસ ક્વાર્ટરની અગાસીમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી.

આ ઉપરાંત મૃત્યુ પામેલા યુવાન પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવ્યો હતો. મૃત્યુ પામેલા LRD જવાનું નામ પ્રદિપસિંહ પઢીયાર હતું. તે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામનો રહેવાસી હતો.

મળતી માહિતી અનુસાર પ્રદીપજી એ ગુરૂવારના રોજ કોઈ અગમ્ય કારણોસર નવાપરા પોલીસ સ્ટેશન ખાતે આવેલા હેડ ક્વાર્ટરની અગાસી માં કેબલ વાયર સાથે લડકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતુ.

આ ઘટના બનતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન મૃત્યુ પામેલા પ્રદિપસિંહ પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

જેમાં મૃત્યુ પામેલા પ્રદિપસિંહ લખ્યું હતું કે, પોતે ભરેલા અંતિમ પગલાં પાછળ કોઇ જવાબદાર નથી, અને લખ્યું હતું કે પોતે જ જિંદગીથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બનતા જ પ્રદિપસિંહના ગામમાં, પરિવારજનોમાં અને પોલીસ સ્ટેશનમાં શોખ નું વાતાવરણ છવાઇ ગયું હતું. પરિવારનો દીકરાના મૃત્યુની ખબર સાંભળીને પરિવારજનો રડી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરના હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા LRDના જવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે ભર્યું પગલું…"

Leave a comment

Your email address will not be published.


*