દેશમાં કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે અને દેશમાં કોરોના ના કેસો પણ ઘટી રહ્યા છે. તેવામાં તેલંગાણા સરકારે આવતીકાલથી રાજ્યની સંપુર્ણ રીતે ખોલવાનો નિર્ણય કર્યો છે. સરકારના આદેશ બાદ આવતીકાલથી તેલંગાણામાં કોરોના ના તમામ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.
રાજ્ય પહેલાની જેમ ફરી એક વખત રાબેતા મુજબ શરૂ થઈ જશે. આ ઉપરાંત રાજ્યમાં આવે નાઈટ કર પણ નાબૂદ થઇ જશે. દેશમાં તેલંગણા એવું પહેલું રાજ્ય બનશે કે જે સંપૂર્ણ રીતે લૉકડાઉન માં થી મુક્ત કરવામાં આવશે.
તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે એક કેબિનેટ બેઠકમાં રાજ્ય માંથી તમામ લોકડાઉનના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો હતો.
આ વાતની જાણ જનતાને ફેસબૂક દ્વારા કરવામાં. તેલંગાણા રાજ્યમાં કોરોના દેશો સતત ઘટી રહ્યા હતા અને રાજ્યમાં સંક્રમિત રેટ ખૂબ જ ઘટી રહ્યો હતો તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત દેશમાં કોરોનાવાયરસ ના 38 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે. તેમાંથી ફક્ત 28000 ની જીનોમ સિકવનિસિંગ આવી શકે છે.
વેરિઅન્ટની પ્રથમ રિપોર્ટ ખૂબ જ ચોંકાવનાર હતો. મળતી માહિતી મુજબ ભારત દેશમાં ડેલ્ટાની સાથે કાપા વેરિઅન્ટ પણ છે. છેલ્લા 60 દિવસમાં 76 ટકા સેમ્પલમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જીનોમ સિક્વન્સિંગની મદદથી વૈજ્ઞાનિકો કોરોનાવાયરસ થનાર ફેરફારને સમજી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "દેશના આ રાજ્યમાંથી સંપૂર્ણ રીતે લોકડાઉન હટાવી લેવામાં આવશે, આ તારીખથી સંપૂર્ણ રાજ્યમાં…"