વડોદરામાં 7 મહિના પહેલા થયેલી માથાકૂટમાં વચ્ચે પડેલા યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના

Published on: 9:11 pm, Sat, 28 May 22

વડોદરામાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના છેવાડે આવેલા શેરખી ગામે જૂની વાતનો ખાર રાખીને એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બનતા સુધી ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ચાર વ્યક્તિઓની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર 7 મહિના પહેલા યુવતીને ફોન નંબર લખીને ચિઠ્ઠી આપવાના બાબતે થયેલી માથાકૂટ વચ્ચે પડેલા યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે કેટલાક લોકો માથાકૂટ કરતા હતા. ત્યારે 36 વર્ષે કાંતિસિંહ મફતભાઈ ગોહિલ ત્યાં પહોંચી આવ્યા હતા. આ દરમિયાન તેમને ત્યાં દાદાગીરી કરી હતી.

ત્યારે માથાકૂટ કરી રહેલા ટોળાએ કાંતિસિંહ ગોહિલ પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર ત્યારબાદ કાંતીસિંહને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીને પોલીસે ચાર લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, 7 મહિના પહેલા આરોપીઓ પૈકી એકની દીકરીને મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના એક યુવાને ફોન નંબર ચિઠ્ઠી આપતાં જોઈ ગયા હતા.

જે બનાવ અંગેની અદાવત રાખી આરોપીઓ અને ચિઠ્ઠી આપનાર પરિવારના સભ્યો વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. જે અંગેની જાણ થતાં કાંતિસિંહ ગોહિલ ત્યાં દોડી આવ્યા હતા. જેમાં આરોપીઓએ કાંતિસિંહ પર પ્રહાર કર્યા હતા. આ ઘટના બન્યા બાદ કાંતિસિંહને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. મોડી રાત્રે છોકરીની બાબતની જૂની અદાવતનો બદલો લેવા માટે કાંતિસિંહનો જીવ લેવામાં આવ્યો છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં 7 મહિના પહેલા થયેલી માથાકૂટમાં વચ્ચે પડેલા યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*