પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા મુદ્દે કાયદામંત્રીએ આપ્યું મોટું નિવેદન

Published on: 10:13 am, Mon, 13 December 21

ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે કરવામાં આવેલા કેસો પાછા ખેંચવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી નું મહત્વ નું નિવેદન સામે આવ્યો છે. પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાના મામલે કાયદા મંત્રીએ કહ્યું કે સરકારને કેસ પાછા ખેંચવાનો અધિકાર છે.

ગંભીર કેસમાં હાઇકોર્ટની મંજૂરી લેવાની હોય છે. કેસ પરત ખેંચવાની પ્રક્રિયા મારી કક્ષાએ નથી આ પ્રક્રિયા મુખ્યમંત્રી કક્ષાએ છે. મારી કક્ષાએ નિર્ણય લેવાનો હશે ત્યારે હકારાત્મક નિર્ણય લઈશ તેવું રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.મહત્વનું છે કે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે

મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતના તમામ આંદોલન સંબંધિત કેસ પરત ખેંચવાની માંગ કરી છે સાથે જ કરણી સેના આંદોલન, ખેડૂત આંદોલન ના કેસ પરત ખેંચવામાં આવે એટલું જ નહીં વિદ્યાર્થીઓનું આંદોલન, LRD ભારતી આંદોલનમાં થયેલા કેસ પરત ખેંચવામાં માંગ કરી છે.

લાલજી પટેલે પત્રમાં કહ્યું કે ગુજરાતમાં તમામ જાતિ, ધર્મના લોકોને ન્યાય માટે આંદોલન નો અધિકાર છે.ભાજપના તમામ પાટીદાર સાંસદોએ સમાજની મુખ્ય રજૂઆતને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું નિર્ધાર કર્યો છે. સરકાર તાત્કાલિક અનામત આંદોલન સમયના કેસો પાછા ખેંચે તેવી રજૂઆત

કરવા ભાજપના તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. એક સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી બાકી રહેલા 140 કેસો પાછા ખેંચવા તેમજ અનામત વખતે આવેલા પાટીદાર નેતાઓના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી આપવા રજૂઆત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા મુદ્દે કાયદામંત્રીએ આપ્યું મોટું નિવેદન"

Leave a comment

Your email address will not be published.


*