પતિએ શંકાના આધારે પોતાની પત્ની અને દીકરીનો જીવ લઇ લીધો, સમગ્ર ઘટના જાણીને રુવાટા…

Published on: 12:12 pm, Mon, 3 October 22

દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ઘણી વખત કોઈ અંગત અદાવતમાં જીવ લેવામાં આવતો હોય છે અથવા તો ઘણી વખત ઘરના ઝઘડાઓમાં જીવ લેવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્ની અને દીકરીનો જીવ લઈ લીધો છે.

આ ઘટના ગાઝિયાબાદમાં બની હતી. ગત શુક્રવારના રોજ સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ 35 વર્ષીય રેખા પાલ અને 14 વર્ષીય તાશુનો જીવ લેવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભાઈનો માહોલ જોવા મળ્યો હતો. આરોપી સંજય પાલ નામના વ્યક્તિએ પોતાની પત્ની અને દીકરીનો જીવ લીધો હતો. સંજય પાલ એક ઇ રીક્ષા ડ્રાઇવર છે. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને ફરાર આરોપી સંજય પાલને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જ્યારે આરોપી બપોરના એક વાગ્યે પકડાયો ત્યારે તેનો પોતાને ગુનો કબૂલ કર્યો હતો. તેને પોલીસ પૂછપરછ માં જણાવ્યું કે, તેની પત્ની રેખાના કોઈની સાથે પ્રેમ સંબંધ હોવાની તેને શંકા હતી. જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તેને પોતાની પત્નીને આવું કરવાની મનાઈ કરી હતી, પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહીં.

આરોપીનું કહેવું છે કે, તેની પત્ની રેખાને તેની 14 વર્ષની દીકરી પણ સપોર્ટ કરતી હતી. જેના કારણે તેને પોતાની દીકરીનો પણ જીવ લઈ લીધો. આરોપી સંજય પાલે સૌપ્રથમ પોતાની પત્નીનો  જીવ લઇ લીધો. પછી ત્રીજા માળે સુતેલી 14 વર્ષની દીકરીનો જીવ લઈ લીધો. બંનેના મૃત્યુ થયા બાદ આરોપી સંજય પાલ ઘરે તાળું લગાવી નીકળી ગયો.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને લગભગ 12 વાગ્યાની આસપાસ એક યુવકે ફોન કરીને આપી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી. લગભગ એક વાગ્યે આજે આસપાસ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ કસ્ટડીમાં આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે, તેના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા. ચાર પાંચ વર્ષ પહેલા તેની શંકા હતી કે તેની પત્નીનું નોઈડામાં કોઈની સાથે અફેર છે. છેલ્લા એક તેની દીકરી પણ તેની માતાનો સાથ દેતી હતી. તેથી તેનો ગુસ્સો ખૂબ જ વધી ગયો. જેને લઈને તેને પોતાની દીકરી અને પોતાની પત્નીનો જીવ લઈ લીધો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિએ શંકાના આધારે પોતાની પત્ની અને દીકરીનો જીવ લઇ લીધો, સમગ્ર ઘટના જાણીને રુવાટા…"

Leave a comment

Your email address will not be published.


*