ગુજરાત સરકાર નો મોટો નિર્ણય સામે આવ્યો છે. RTPCR ના ટેસ્ટ ના ભાવમાં ઘટાડો કર્યો છે.

Published on: 9:45 pm, Mon, 19 April 21

ગુજરાત સરકાર નો મોટો નિર્ણય સામે આવ્યો છે.RTPCR ના ટેસ્ટ ના ભાવમાં ઘટાડો કર્યો છે.ખાનગી લેબમાં RTPCR ના ટેસ્ટ ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.ગુજરાત માં કોરોના વાયરસ ની પરિસ્થિતિ ને જોતા કોરોના વાયરસ ના ટેસ્ટમાં વધારો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા ટેસ્તિંગ ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર લેબ પર જઈ ટેસ્ટ કરવામાં આવે તો 700 ચાર્જ લેબ હવે લઈ શકશે.

આ ટેસ્ટ માટે અગાઉ 800 ચાર્જ લેવામાં આવતો હતો.ઘરે થી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવે તો તેમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઘરે થી ટેસ્ટ માટે પહેલા 1100 ચાર્જ થતો હતો તે હવે ઘટીને 900 કરવામાં આવ્યો છે.આ નવા ભાવ આવતીકાલ થી લાગુ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 10,340 નવા કેસ નોંધાયા છે.

તો સંક્રમણ ના કારણે 110 લોકોના મોત નીપજ્યા છે અને 3981 દર્દીઓ સાજા થયા છે.આ સાથે જ અત્યાર સુધી માં 3,37,545 દર્દીઓ કોરોના મુકત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત સરકાર નો મોટો નિર્ણય સામે આવ્યો છે. RTPCR ના ટેસ્ટ ના ભાવમાં ઘટાડો કર્યો છે."

Leave a comment

Your email address will not be published.


*