ખાધતેલમા ઘટાડાને લઈને ટૂંક સમયમાં આવશે ખુશખબર, સરકાર લેવા જઈ રહી છે આ મહત્વનો નિર્ણય.

Published on: 3:40 pm, Fri, 21 May 21

ખાધ તેલના ભાવ આસમાને પહોંચી રહા છે ત્યારે આવા સમયે કિંમત પર લગામ લગાવવા માટે સરકાર તેની આયાત પર લાગતા એગ્રી સેસ ને ઘટાડી શકે છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સરકારે ફૂડ પામ ઓઈલ, સન ફ્લાવર અને સોયા ઓયલના આયાત પર લાગતા એગ્રીકલ્ચર ઈન્ફરાસ્ટ્રક્ચર એન્ડ ડેવલોપમેન્ટ સેસનો ઘટાડો કરી શકે છે.

તેથી તેના ભાવમાં ઘટાડો થઈ શકે છે. બાદ સામાન્ય જનતાને થોડો ફાયદો થશે અને તેલના ભાવ હાલ છેલ્લા પાંચ વર્ષની સૌથી ઊંચી સપાટી એ છે.

એગ્રીકલ્ચર ઇન્ફા ને કરવાના ઉદ્દેશ્યથી સરકારે બજેટ 2020 માં એગ્રી સેસ ને શરૂ કર્યો હતો. આ સમયે પામ ઓઈલ પર 17.50 ટકા અને સૂરજમુખી, સોયાબીન તેલ પર 20% છે.

ભારત પોતાની જરૂરિયાત ના 60 ટકા એડિબલ ઓઇલ આયાત કરે છે. દર વર્ષે લગભગ 75000 કરોડ એડીબલ ઇનપોન્ટ કરવામાં આવે છે.

દર વર્ષે ચીન મોટા જથ્થામાં પાલમ તેલની આયાત કરે છે જેની સીધી અસર ભારતીય બજારમાં વેચાતા ખાદ્ય તેલના ભાવને થાઈ છે. છેલ્લા આઠ મહિનામાં ભારતીય બજારમાં ખાદ્ય તેલના ભાવમાં અધધધ 40 થી 50 ટકા નો ઉછાળો નોંધાયો છે.

ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ચીન સરેરાશ દર વર્ષે જેટલી માત્રામાં ખાદ્યતેલની આયાત કરે છે તેની સરખામણીમાં ઓછી આયાત કરશે જેના કારણે ભારતીય બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખાધતેલમા ઘટાડાને લઈને ટૂંક સમયમાં આવશે ખુશખબર, સરકાર લેવા જઈ રહી છે આ મહત્વનો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*