સુરતમાં ડિસ્ટ્રિક્ટ ચીફ ફોરેસ્ટ ઓફિસરના બંગલાનો માળી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા – જાણો શા માટે ભર્યું આ પગલું

Published on: 4:46 pm, Fri, 4 February 22

સુરત શહેરના ડિસ્ટ્રીક ચીફ ફોરેસ્ટ ઓફિસરના બંગલાનો માળી કવાટર્સમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી અને અનેક સવાલો ઊભા થયા હતા. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોનું કહેવું છે કે, પપ્પાને ખેંચની બિમારી હતી.

આ ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિના પત્નીએ કહ્યું કે, બપોરે અને રાત્રે નું ભજન સાથે કર્યું હતું. પરંતુ તેમના ચહેરા પર અમને કોઈ પણ પ્રકારનો તણાવ દેખાયો ન હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર અથવાલાયન્સ પ્રાંત હાઉસમાં આવેલા છાયા બંગલાના કવાટર્સમાં આજે સવારે જયંતિભાઈ બચુભાઈ ઢોડિયા ખાંસી ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

મૃત્યુ પામેલા જયંતીભાઈ ની ઉંમર 51 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર જયંતીભાઈની પત્નીએ દરવાજો ખોલ્યો ત્યારે જયંતીભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

જયંતીભાઈ ને બે પુત્ર અને એક પુત્રી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા જયંતીભાઈ લગભગ 15-20 વર્ષથી ફોરેસ્ટ વિભાગમાં કાયમી કર્મચારી તરીકે માળીની જવાબદારી નિભાવતા હતા.

આ સમગ્ર ઘટનાને લઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે બીમારીના કારણે જયંતીભાઈ આ પગલું ભર્યું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં ડિસ્ટ્રિક્ટ ચીફ ફોરેસ્ટ ઓફિસરના બંગલાનો માળી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા – જાણો શા માટે ભર્યું આ પગલું"

Leave a comment

Your email address will not be published.


*