ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા ના ગઢમાં પડ્યું ગાબડું, એક ઝાટકે આટલા નેતા જોડાયા AAPમાં…

Published on: 10:29 am, Fri, 2 July 21

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીને લઈને અત્યારથી તૈયારી શરૂ કરી દીધી. તેવામાં ભાજપના સૌથી નાના વયના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ના ગઢમાં આમ આદમી પાર્ટીનું આગમન થયું તેવી માહિતીઓ સામે આવી રહી છે.

આવું એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, તેમજ હાલ ના કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAP પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયુ છે.

જેતપુરના નગરપાલિકાના બે અને વર્તમાન બે પૂર્વ કોર્પોરેટર હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા રાજકીય પક્ષો વચ્ચે ઊથલપાથલ ચાલી રહી છે.

ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર તેમના ઉમેદવારો ઊભા રાખશે. અત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવા માટે સતત કાર્યરત છે.

કોર્પોરેટર પ્રમોદ ત્રાડા આમ આદમી પાર્ટીમાં જોડાતા જયેશ રાદડિયા ના ગઢમાં ગાબડુ પડી શકે તેવી શક્યતાઓ છે. મનિષાબેન પાટોડિયા પણ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

આ ઉપરાંત અગાઉ પણ પૂર્વ એમ.એલ.એ હરી જોગીના પુત્ર મહેન્દ્ર પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે. એ પહેલા પૂર્વ નગરસેવક દીપુ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા ના ગઢમાં પડ્યું ગાબડું, એક ઝાટકે આટલા નેતા જોડાયા AAPમાં…"

Leave a comment

Your email address will not be published.


*