રામચંદ્ર ભગવાન કી…! પાવન ભૂમિ અયોધ્યા ના રામ મંદિર માં લગાવ્યો સોનાનો પ્રથમ દરવાજો,હજુ પણ 13 મોટા અડીખમ સોનાના દરવાજાઓ લાગશે…

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના બાંધકામમાં વધુ એક સુવર્ણ કામ થયું છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સુવર્ણ કપાટ ની સ્થાપના થઈ ગઈ છે. આગામી ત્રણ દિવસમાં આવા 13 અન્ય કપાટ મંદિરમાં લાગશે.

મિત્રો શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રવેશ દ્વાર પર ગઈકાલે ગજ, સિંહ, હનુમાનજી અને ગરુડજી ની મૂર્તિઓ સ્થાપિત કરી છે. આ મૂર્તિઓ રાજસ્થાનના ગ્રામ બંસી પહાડપુરના હળવા ગુલાબી રંગના બલુવા પથ્થરમાંથી બનાવી છે. 22 જાન્યુઆરી 2024 ના રોજ પોષ માસના શુક્લ પક્ષની દ્રાદશી તિથિ ના રોજ

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ થશે.રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 7000 વિશેષ અતિથિ અને 4000 સંતોની હાજરીમાં થશે અને સાથે જ આ ઐતિહાસિક અવસર પર વિશ્વભરના 50 દેશો અને તમામ રાજ્યોના લગભગ 20000 લોકો હાજર રહેશે.મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના હવે ગણતરીના

 

View this post on Instagram

 

A post shared by DD News (@ddnews_official)

દિવસો બાકી છે ત્યારે રામ મંદિરમાં સોનાના દરવાજા મુકાતા લોકો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે ઉત્સુક બની રહ્યા છે અને આપણે મિત્રો જણાવી દઈએ કે ટૂંક જ સમયમાં મતલબ કે થોડાક જ દિવસોની અંદર બીજા આવા સોનાના તેર જેટલા અન્ય કપાટ મતલબ કે દરવાજાઓ લાગશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*