લવ જેહાદનો કાયદો પાસ થયા બાદ ગુજરાતમાં નોંધાઈ પ્રથમ ફરિયાદ, જાણો વિગતે.

Published on: 5:02 pm, Mon, 5 April 21

લોક ચર્ચામાં કહેવાતા લવ જેહાદ નોબ કાયદો પસાર થયા બાદ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. લઘુમતી સમાજને યુવતીને યુવક ભગાડી જતાં પોલીસ ફરિયાદ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના છેલ્લા સત્ર ના દિવસે ધીમે સ્વાતંત્રય સુધારા વિધેયક 2021 હેઠળ પહેલી ફરિયાદ વડોદરામાં નોંધાઈ છે.

લોક ચર્ચામાં કહેવાતા લવ જેહાદ નો કાયદો પસાર થયા બાદ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ છે.ગુજરાત સરકાર પણ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારની જેમ લવ જેહાદ નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003 માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

અને ગુજરાતમાં લવ જેહાદ ના નામે ચાલતી ધર્મ પરિવર્તન ની પ્રવુતિ પર પ્રતિબંધ લગાવવા બિલ રજૂ કરાયો હતો.આમ તો સમગ્ર સુધારો લવ જેહાદ ની પ્રવુતિ રોકવા માટે છે.

ઉત્તર પ્રદેશ ની પેટર્ન મુજબ, લવ જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહો છે અને એની જોગવાઈ મુજબ આરોપી વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુ માં વધુ 5 વર્ષ ની સજા તેમજ 2 લાખથી વધુ દંડ કરવામાં આવશે.

જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ, આદિજાતિના વ્યક્તિના કિસ્સામાં બન્યો હશે તો 4 વર્ષ થી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખ થી વધુ નો દંડ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લવ જેહાદનો કાયદો પાસ થયા બાદ ગુજરાતમાં નોંધાઈ પ્રથમ ફરિયાદ, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*