બંગાળ માં થયેલી ઘટના મામલે ભાજપના આ દિગ્ગજ નેતાઓ સામે FIR, આ લોકોએ નોંધાવી ફરિયાદ.

Published on: 11:33 am, Mon, 10 May 21

કોલકાતા પોલીસે TMC કાર્યક્રમની ફરિયાદના આધારે ભાજપના નેતાઓ મિથુન ચક્રવર્તી અને બંગાળના ભાજપના પ્રાંત પ્રમુખ દિલીપ ઘોષ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. બે દિવસ પહેલા TMC ના કાર્યકર મૃત્યુંજય પોતાની ફરિયાદમાં કહ્યું હતું.

કે દિલીપ ઘોષ અને મિથુન ચક્રવર્તીએ ભાજપના કાર્યકર્તાઓ અને પશ્ચિમ બંગાળમાં થયેલી ઘટના માટે ઉશ્કેર્યા છે. તેઓની ફરિયાદ પર કોલકત્તા પોલીસે રવિવારે બંને નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને મમતા બેનરજીની નેતૃત્વમાં નવી સરકારની રચના પણ કરવામાં આવી છે.

જોકે પરિણામોના એક અઠવાડિયા બાદ રાજ્યમાં રાજકીય ઘટનાના રિપોર્ટ સતત આવી રહ્યા છે.TMC ની જીત બાદ ભાજપના કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો ભાજપ સતત આરોપ લગાવી રહ્યું છે.

પક્ષનો આરોપ છે કે 2 મે ના રોજ પરિણામ જાહેર થયા બાદ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં હિંસા થઈ હતી જેમાં ભાજપના ઘણા કાર્યકરોએ જીવ ગુમાવ્યો છે.

ભાજપ દાવો કરી રહી છે કે તેના 300 થી 400 કાર્યકરો TMC ના લોકોના કારણે આસામમા સ્થળાંતર કરી ચૂક્યા છે.TMC કાર્યકરે તેમની ફરિયાદમાં ભાજપના બંગાળના પ્રમુખ દિલીપ ઘોષ અને મિથુન ચક્રવર્તીને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા છે અને તેમ ના નામ ફરિયાદમાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બંગાળ માં થયેલી ઘટના મામલે ભાજપના આ દિગ્ગજ નેતાઓ સામે FIR, આ લોકોએ નોંધાવી ફરિયાદ."

Leave a comment

Your email address will not be published.


*