પિતાએ પોતાની 5 વર્ષની દીકરી સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, કારણકે તેમની પત્ની લગ્નના 11 વર્ષ બાદ અન્ય યુવક સાથે ભાગી ગઈ…

Published on: 11:04 am, Fri, 8 July 22

ગુજરાતમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની 5 વર્ષની દીકરી સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર કંઠલાલ તાલુકાના શાહપુર તાબે ભોઈનાવડ ગામના 30 વર્ષે સંજયભાઈએ તેમની 5 વર્ષની દીકરી સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.

આ ઘટના બનતા જ ફતિયાબાદ કેનાલ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. લગભગ 20 કલાકની શોધ ખોળબાદ કેનાલમાંથી પિતા અને દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંજયભાઈની પત્ની લગ્નના 11 વર્ષ બાદ ગામના અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. તેના કારણે સંજયભાઈ પોતાની દીકરી સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ભોઈનાવડ ગામમાં રહેતા સંજયભાઈ રવજીભાઈ પરમારના લગ્ન કપડવંજ તાલુકાના લહેરજીના મુવાડા ગામમાં 11 વર્ષ પહેલા થયા હતા. તેઓને સંતાનમાં 10 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી હતી.

સંજયભાઈની પત્ની પુષ્પાને ગામના યુવક સાથે આંખ મળી ગઈ હતી. આ યુવકના પણ લગ્ન થઈ ગયા હતા. આ યુવક સંજયભાઈનો કૌટુંબિક થાય છે. મળતી માહિતી અનુસાર સંજયભાઈની પત્ની આ યુવક સાથે એક અઠવાડિયા પહેલા ગામ છોડીને ભાગી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ગતરોજ પુષ્પાને ભગાડી જનારા યુવકે સંજય ભાઈ ને ફોન કર્યો હતો.

બની શકે કે ભગાડી જનારી યુવક અને પુષ્પાએ સંજયભાઈને ફોન પર એવી વાત કહી દીધી હશે કે જેના કારણે સંજય ભાઈને ખોટું લાગી ગયું હશે. જેથી સાંજે જ્યારે સંજયભાઈની પાંચ વર્ષની દીકરી સ્કૂલેથી છૂટે છે. ત્યારે સંજયભાઈ તેને લેવા માટે જાય છે. પરંતુ સંજયભાઈ અને તેની દીકરી ઘરે પરત ફરતા નથી.

તેથી પરિવારના લોકો તેમની શોધખોળ શરૂ કરે છે. ત્યારે નર્મદા કેનાલ પાસે સંજયભાઈની બાઈક મળી આવે છે. તેથી એવા અંદાજો લગાવવામાં આવે છે કે સંજયભાઈ દીકરી સાથે કેનાલમાં કૂદી ગયા હશે. સંજયભાઈની દીકરી શિવાની ધોરણ એકમાં ભણતી હતી. બુધવારના રોજ સાંજના સમયે સંજયભાઈ પોતાની દીકરી શિવાનીને લેવા માટે શાળાએ ગયા હતા.

ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલમાં સંજયભાઈ પોતાની દીકરી શિવાની સાથે કૂદી ગયા હતા. મળતી માહિતી અનુસાર સંજયભાઈ બુધવારના રોજ સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ પોતાની દીકરી સાથે કેનાલમાં મૃત્યુની છલાંગ લગાવી હતી. ઘટના બની તેના 20 કલાક બાદ એટલે કે ગુરુવારના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ સંજયભાઈ અને તેમની દીકરીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાએ પોતાની 5 વર્ષની દીકરી સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, કારણકે તેમની પત્ની લગ્નના 11 વર્ષ બાદ અન્ય યુવક સાથે ભાગી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*