પિતાએ જમીનના ભાગલા પાડવાની ના પાડી…, ત્યારે નાના ભાઈએ મોટાભાઈ પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 11:52 am, Wed, 22 June 22

મિત્રો જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં જમીન માટે ભાઈઓ એકબીજાના દુશ્મન બની જાય છે. ત્યારે હાલમાં તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં જમીનના ભાગલાના મુદ્દે નાનાભાઈએ મોટાભાઈનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

નાના દિકરાના લગ્ન થઈ જાય, તે માટે તેના પિતાએ જમીનના ભાગલા પાડ્યા હતા. આ કારણોસર મોટાભાઈને તેના પિતા અને નાનાભાઈ માથાકૂટ થતી હતી. મોટોભાઈ પોતાના પિતાને હિસ્સાની જમીન પર કબજે લેવા માંગતો હતો. આ વાતને લઇને નાના અને મોટા ભાઈ વચ્ચે મોટી માથાકૂટ થઇ ગઇ હતી.

માથાકૂટ એટલી વધી ગઈ કે, નાના ભાઈ ગોળી ચલાવીને મોટા ભાઈનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના અરવલ્લી જિલ્લાના શેખપુર ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર પોલીસે સોમવારના રોજ આરોપી નાના ભાઈને બાંસુરના જંગલમાંથી પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા.

જાણવા મળ્યું હતું કે, 35 વર્ષીય કુંવર ગુર્જર અને 23 વર્ષીય સુખરામ ગુર્જર બંને સગા ભાઈઓ છે. બંને ભાઈઓ વચ્ચે સાડા ચાર વીઘા જમીનને લઇને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા. ત્યારે 18 જૂનના રોજ સુખરામે ગામની બહાર જઈને પોતાના મોટાભાઇ કુંવર પર ગોળી ચલાવીને તેનો જીવ લઇ લીધો હતો.

આ ઘટના બન્યા બાદ તે જંગલમાં છુપાઇ ગયો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇ લે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી ભાઈની શોધખોળ શરૂ કરી હતી.

સમગ્ર ઘટનાને લઇને આરોપી સુખરામના પિતાએ જણાવ્યું કે, સુખરામ ઓછું ભણેલો હતો. તેથી તેના લગ્ન કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. સુખરામના પિતાનું એવું માનવું હતું કે, લગ્ન પહેલા જમીનના ભાગલા કરવામાં આવ્યો તો સુખરામના લગ્નમાં અનેક અવરોધો આવી શકે છે.

તેથી તેના પિતાએ સુખરામના લગ્ન ન થાય ત્યાં સુધી જમીનના ભાગલા પાડવાની ના પાડી હતી. આ બાબતને લઈને બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ ઝઘડો થતો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે સોમવારના રોજ આરોપી સુખરામને જંગલમાંથી પકડી પાડ્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાએ જમીનના ભાગલા પાડવાની ના પાડી…, ત્યારે નાના ભાઈએ મોટાભાઈ પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*