લાડકવાયી દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર ફેનીલ ગોયાણીના પિતાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે મારો જ….

Published on: 6:08 pm, Tue, 15 February 22

સુરત શહેરમાં પાસોદરામાં બનેલી ઘટના તમામ લોકોની આંખમાં આંસુ લાવી દીધા છે. દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર ફેનીલ ગોયાણીને કડકમાં કડક સજા આપવા માટે સમગ્ર સુરત નહીં પરંતુ આખો દેશ માંગ કરી રહ્યો છે.

ત્યારે આ સમગ્ર ઘટના વચ્ચે દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર ફેનીલ ગોયાણીના પિતા પંકજ ગોયાણીએ પોતાના દીકરાની કરતૂત પર પોતાનું મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમને નિવેદન આપતા કહ્યું કે, મારો જ સિક્કો ખોટો નીકળ્યો, પરંતુ હવે શું ફાયદો જ્યારે મારા દીકરાના કારણે એક માસૂમ દીકરી ની જીંદગી બરબાદ થઈ ગઈ.

જો દીકરાનું ધ્યાન રાખ્યું હોત અને સંસ્કાર આપ્યા હોત અને સ્ત્રી મર્યાદાનું ભાન કરાવ્યું હોત તો સારું હતું. આ સમગ્ર ઘટનાને લઇને દીકરી ગ્રીષ્માના પરિવારજનોએ કહ્યું કે, ફેનીલ ને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવામાં આવે.

આ ઉપરાંત કહ્યું કે, ખૂબ જ નિંદનીય બાબત કહેવાય કે પોતાના સ્વાર્થ માટે બીજાનો જીવ લઇ લીધો. આ ઉપરાંત તેમને કહ્યું કે વિચારવાનું એ છે કે, નાની ઉંમરમાં આ સાહસ કરવાની હિંમત તેને ક્યાંથી મળી?

આજરોજ દીકરી ગ્રીષ્માની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. હજારોની સંખ્યામાં અંતિમયાત્રામાં સુરતવાસીઓ જોડાયા હતા. દીકરી ની અંતિમ વિદાય વખતે ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લાડકવાયી દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર ફેનીલ ગોયાણીના પિતાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે મારો જ…."

Leave a comment

Your email address will not be published.


*