એક બાળકના પિતાએ બેકારીથી કંટાળીને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના વિગતવા…

Published on: 5:20 pm, Wed, 22 June 22

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી ગઈ છે. ઘણી વખત ઘણા લોકો નાની-નાની બાબત, ડિપ્રેશન અથવા તો કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે સિહોરમાં વિકળિયા ઢાળ મોટા ચોક વિસ્તારમાં રહેતા યુવક પોતાનું જીવન ટુંકાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યુવકે બેકારીથી કંટાળીને પગલું ભર્યું છે. ઘટનાની માહિતી મળતા સિહોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સિહોર પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ રાજુભાઈ મહેન્દ્રભાઈ રાવ હતું અને તેમની ઉંમર 36 વર્ષની હતી.

રાજુભાઈ મોટા ચોક વિસ્તારમાં રહેતા હતા. રાજુભાઈ ગઈકાલે બપોરે બે વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. રાજુભાઈના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની માહિતી મળતા સિહોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

રાજુભાઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. રાજુભાઈ છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાય સમયથી તેમની પાસે કોઈ કામ ધંધો હતો નહીં.

તેથી તેઓ બેદરકારીથી ખૂબ જ કંટાળી ગયા હતા અને તેમને આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર માહિતી રાજુભાઈના ભાઈ ધર્મેન્દ્રભાઈએ સિહોર પોલીસને જણાવી હતી. રાજુભાઈના મૃત્યુના કારણે એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક બાળકના પિતાએ બેકારીથી કંટાળીને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના વિગતવા…"

Leave a comment

Your email address will not be published.


*