પિતાએ બાળકોને પૂછ્યું કે “તમે જીવવા માગો છો?” ત્યારે બાળકોએ ના પાડી… પછી પિતાએ ભર્યું એવું પગલું કે સાંભળીને રુવાટા ઉભા થઈ જશે… જુઓ મૃત્યુ પહેલાનો વિડિયો

Published on: 11:05 am, Wed, 9 November 22

સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. કોઈક આર્થિક તંગીના કારણે સુસાઇડ કરતા હોય છે, તો કોઈ પ્રેમ પ્રસંગમાં સુસાઇડ કરતા હોય છે. તમે ઘણી વખત એવી પણ ઘટનાઓ સાંભળી હશે. જેમાં મહિલાના ત્રાસના કારણે પતિ પોતાનું જીવન ટૂંકાવવી લેતો હોય છે. ઉપરાંત પતિ કે પત્નીના ગેરકાયદેસર સંબંધ પર બંને માંથી એકનો જીવ લઈ લેતો હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના ગેરકાયદેસર સંબંધથી કંટાળીને પોતાની દીકરી, ભત્રીજા અને ભાઈ સાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના પંજાબના ફિરોજપુરમાંથી સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાના પારિવારિક ઝઘડાથી કંટાળીને પોતાની કાર નહેરમાં ઉતારી દીધી હતી.

આ પગલું ભરતા પહેલા તે facebook પર લાઈવ આવ્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી. વીડિયોમાં જોઈ શકો છો કે વ્યક્તિ પોતાના બાળકોને પૂછે છે કે તમે જીવવા માગો છો? ત્યારે બાળકો પણ ના કહે છે ત્યારબાદ આ વ્યક્તિ પોતાની કાર નહેરમાં ઉતારી દે છે. આ ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, વ્યક્તિની પત્ની થોડાક દિવસો પહેલા પોતાના બંને બાળકોને મૂકીને કોઈ અન્ય પુરુષ સાથે ચાલી ગઈ હતી. આ વાતથી પતિ ખૂબ જ પરેશાન રહેતો હતો. હતી એટલો કંટાળી ગયો કે તેને પોતાના પરિવારને કારમાં બેસાડીઓ અને ત્યારબાદ કાર નહેરમાં ઉતારી દીધી. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ મોડી સાંજના સમયે બની હતી.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને નહેરમાં ચારેયના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. સૌપ્રથમ નહેરમાંથી કાર મળી આવી હતી અને ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. નહેરની અંદર છલાંગ લગાવનાર વ્યક્તિનું નામ જસવિંદર સિંહ હતું.

સમગ્ર ઘટનાને લઈને તેના ભાઈએ જણાવ્યું કે, તેની ભાઈની પત્નીને છાવણી નિવાસી કાલા સંધુ નામનો વ્યક્તિ લઈ ગયો હતો અને તે વ્યક્તિએ ભાઈનો જીવ લેવાની પણ ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે મંગળવારના રોજ સવારે જસવિંદર સિંહ પોતાની કારમાં પોતાની 8 વર્ષની દીકરી, 9 વર્ષના દીકરાને લઈને ઘરેથી નીકળી ગયો હતો.

ત્યારબાદ તે facebook પર લાઈવ થયો હતો. તેને લાઈવ ઉપર પોતાની આપવીતી જણાવી હતી. આ વાતની જાણ થતા જ મૃત્યુ પામેલા વ્યક્તિનો થાય તેને સમજાવવા માટે તેની પાસે ગયો હતો. તેને જસવિંદર સિંહને સમજાવ્યો અને ઘરે પરત જવાનું કહ્યું હતું. કારમાં જતી વખતે જસવિંદર સિંહનો ઉતરી ગયો હતો અને પોતાના મોટા પપ્પા સાથે એકટીવા બેસી ગયો હતો. જ્યારે દિવ્યાંગ ભાઈ હરપ્રીત અને ભત્રીજો આગન કારમાં બેસી ગયા હતા. ત્યારે રસ્તામાં જસવિંદર સિંહ કાર નહેરમાં કુદાવી દીધી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાએ બાળકોને પૂછ્યું કે “તમે જીવવા માગો છો?” ત્યારે બાળકોએ ના પાડી… પછી પિતાએ ભર્યું એવું પગલું કે સાંભળીને રુવાટા ઉભા થઈ જશે… જુઓ મૃત્યુ પહેલાનો વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*