પરિવાર વિખરાઈ ગયું…! એક ઘરમાંથી માતા-પિતા અને બે માસુમ દીકરીઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા, પોલીસને પિતાના મૃતદેહ પાસેથી…

Published on: 6:54 pm, Sat, 16 July 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ લેવાની અને જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી અને દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર દેશની રાજધાની દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ચારેયના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના જાફરાબાદ વિસ્તારની છે.

મળતી માહિતી અનુસાર મટકે વાલી ગલી સ્થિત એક મકાનમાંથી પતિ પત્ની અને તેમની બંને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી. આ મામલો સુસાઇડનો છે કે જીવ લેવાનો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

મળતી માહિતી અનુસાર તમામ મૃતદેહ પર ગોળી વડે પ્રહાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં તો એવું લાગતું હતું કે, ઈસરાસ અહેમદે નામના વ્યક્તિએ સૌ પ્રથમ તેની પત્ની અને 11 અને 9 વર્ષની બંને દીકરીઓ ઉપર ગોળી વડે પ્રહાર કરીને તેમનો જીવ લઇ લીધો હશે અને ત્યારબાદ પોતાના પર ગોળી ચલાવી દે પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.

મળતી માહિતી અનુસાર ઈસરાસ અહેમદેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કફોડી હતી. જેના કારણે તે ખૂબ જ તણાવમાં રહેતો હતો. પતિ-પત્ની અને બંને દીકરીઓના મૃત્યુ કયા કારણોસર થઈ હતી, તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મળતી માહિતી અનુસાર ઈસરાસ જાફરાબાદની શેરી નંબર 30/9 માં 4 માળના મકાનમાં રહેતો હતો.

ઈસરાસના માતા પિતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે, તેનો નાનો ભાઈ પહેલા માળે રહે છે. મૃતકનો પરિવાર બીજા માળે રહેતું હતું. ઈસરાસ મુંબઈમાં જીન્સ નો ધંધો કરતો હતો. મળતી માહિતી અનુસાર ચાર વર્ષ પહેલા તે પરિવાર સાથે જાફરાબાદ રહેવા આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પોલીસને ઈસરાસના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પરિવાર વિખરાઈ ગયું…! એક ઘરમાંથી માતા-પિતા અને બે માસુમ દીકરીઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા, પોલીસને પિતાના મૃતદેહ પાસેથી…"

Leave a comment

Your email address will not be published.


*