પાટીલના ગઢમાં પાટીદાર દિગ્ગજ નેતા ની એન્ટ્રી, AAPના મહેશ સવાણી સામે બનશે મુખ્ય ચહેરો…

Published on: 7:45 pm, Sat, 24 July 21

ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી ખૂબ જ મોટી દાવેદાર સાબિત થઈ શકે છે. ત્યારે સુરતમાં પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા ભારતીય જનતા પાર્ટી તરફથી ફરી એક વખત મેદાનમાં ઉતરશે.

આમ આદમી પાર્ટીમાં મહેશ સવાણી ની એન્ટ્રી બાદ ભાજપે પણ મહેશ સવાણી ની સામે એક પાટીદાર ચહેરો ઉભો કર્યો છે. ત્યારે હવે આજે સુરત ખાતે વિધિવત રીતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હાથે ધીરુ ગજેરા એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

આ ઉપરાંત અગાઉ પણ ધીરુ ગજેરાએ કહ્યું હતું કે કોંગ્રેસ તરફથી હું 3 વિધાનસભા અને 1 લોકસભા ની ચૂંટણી હાયો છું. ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા મિત્રોએ ઘર વાપસી કરવા મને આગ્રહ કર્યો હતો.

આ ઉપરાંત અગાઉ ધીરુ ગજેરા એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસમાં ઉમેદવારોને સંગઠનથી લઈને કોઈ સહકાર નથી મળતો. ભાજપના નેતા ધીરુ ગજેરાની રાજકીય સફર ની વાત કરીએ તો ધીરુભાઇ ગજેરા નો મૂળ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ધીરુભાઇ ગજેરા સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી તરફથી 1995 માં સુરત ઉત્તર ની બેઠક પર ચૂંટણી લડયા હતા. પહેલી ચૂંટણીમાં ધીરુભાઈ ગજેરા ને સુરત શહેરની બેઠક પર જીત મળી હતી. ત્યારબાદ ધીરુભાઈ ગજેરા 1998 અને 2002 માં પણ સુરત શહેરની ઉત્તર બેઠક તી વિધાનસભા પહોંચ્યા હતા.

આ ઉપરાંત 2002 પછી કેશુભાઈ અને નરેન્દ્ર મોદી વચ્ચે ના ગજગ્રાહમાં ધીરુભાઇ ગજેરા ને પાર્ટી સાથે અણબનાવ થયા હતા. ત્યાર પછી 2007 પહેલા ધીરુભાઈ ગજેરા કોંગ્રેસમાં જોડાયા હતા. અને 2007માં ધીરુભાઈ ગજેરા વિધાનસભાની ચૂંટણીમાં સુરત ઉત્તર બેઠક પર હાર્યા હતા.

આ ઉપરાંત 2009 ની લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને તેઓને હાર મળી હતી. તેમજ 2012 અને 2017 માં પણ ધીરુભાઈ ગજેરા વરાછા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને હાર મળી હતી. ત્યાર બાદ છેવટે ધીરુભાઇ ગજેરા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પાટીલના ગઢમાં પાટીદાર દિગ્ગજ નેતા ની એન્ટ્રી, AAPના મહેશ સવાણી સામે બનશે મુખ્ય ચહેરો…"

Leave a comment

Your email address will not be published.


*