ગુજરાતની આખી ચૂંટણી ઈમાનદાર આમ આદમી પાર્ટી અને મહાભ્રષ્ટ ભાજપ વચ્ચે છે: ગોપાલ ઈટાલિયા

Published on: 5:55 pm, Thu, 6 October 22

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસેને દિવસે એક મજબૂત વિકલ્પના સ્વરૂપમાં આગળ વધી રહે છે. ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલને ગેરેન્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના વિચારો સાથે જોડાઈ રહે છે. એમ કહી શકાય કે ગુજરાતમાં એક ક્રાંતિ આવી ગઈ છે. હજારો લોકો આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી રહ્યા છે. તે જોઈને ભાજપના લોકો ડરમાં મુકાઈ ગયા છે અને બોખલા થઈ ગયા છે.

જ્યાં હોય ત્યાં અરવિંદ કેજરીવાલને અપશબ્દ કહેવા, આમ આદમી પાર્ટી વિશે વાણી વિલાસ કરવો, સોશિયલ મીડિયા અને મીડિયા વચ્ચે આમ આદમી વિશે ખરાબ વાતો કરવી આવા પ્રકારની પ્રવૃત્તિમાં ભાજપના લોકો લાગી ગયા છે. જે બતાવે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની એક મજબૂત હાજરી નોંધાવી ચૂકી છે. ગોપાલ ઇટાલીયા એ વધુમાં વાત કરતા જણાવ્યું કે, આ વખતે કોંગ્રેસમાં કંઈ દમ નથી.. કોંગ્રેસ પાર્ટી એકદમ પતન થઈ ચૂક્યા બરાબર છે.. જે લોકો કોંગ્રેસની અંદર હતા એમણે જમ્પ મારી દિવાલ ની અંદર કૂદી ભાજપની અંદર જવાની શુભ શરૂઆત કરી દીધી છે.

ગોપાલ ઇટાલીયા વધુમાં વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે અને જેટલા પણ બાકી રહેલા લોકો છે તે ચૂંટણી આવતા પહેલા જ ભાજપમાં જતા રહેવાના છે અને જે કોઈ વચ્ચે તે ચૂંટણી પછી ભાજપમાં જતા રહેવાના છે. એટલે ગુજરાતની આખી ચૂંટણી ઈમાનદાર આમ આદમી પાર્ટી અને મહાભ્રષ્ટ ભાજપ સામે છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે મહાભ્રષ્ટ ભાજપ સામે જનતાનો મુકાબલો છે.

જનતાએ હવે નક્કી કરવી લીધું છે કે ભાજપને કરારો જવાબ આપશે. ઘણા વર્ષોથી શિક્ષણ, સ્વાસ્થય, રોજગારી, વીજળી, પાણી, રોડ રસ્તાઓ જેવા કામ ઉપર ક્યારેય પણ ચર્ચાઓ થઈ નથી. ત્યારે જનતા આ વખતે ઈચ્છે છે કે ગુજરાતમાં પણ દિલ્હીની જેમ સ્કૂલો બનવી જોઈએ. દિલ્હીની જેમ મફત વીજળી મળવી જોઈએ. દિલ્હી અને પંજાબની જેમ આમ આદમી પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો એવી રીતે જ ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતની આખી ચૂંટણી ઈમાનદાર આમ આદમી પાર્ટી અને મહાભ્રષ્ટ ભાજપ વચ્ચે છે: ગોપાલ ઈટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*