લગ્નના દિવસે જ દુલ્હનનું મૃત્યુ : લગ્નમંડપમાં પહોંચે તે પહેલા ચક્કર આવતા દુલ્હનનું મૃત્યુ – આખું ગામ હીબકે ચડ્યું…

Published on: 11:36 am, Wed, 26 January 22

કંકોડાકોઇ ગામમાં બનેલી એક ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા તો તેની અર્થી ઉઠી ગઈ હતી. મળતી માહિતી અનુસાર નવરત ભાઈ સોલંકી ની પુત્રી વંદનાબેનનું લગ્નના દિવસે જ કરૂણ મૃત્યુ થયું હતું.

23 તારીખના રોજ વંદનાબેનનો લગ્ન સમારંભ રાખ્યો હતો. આ દિવસે ઘરમાં ખૂબ જ ખુશી નું વાતાવરણ હતું. બધા મહેમાનો આવી ગયા હતા. ભોજન સમારંભ સહિત અન્ય માંગલિક પ્રસંગો શરૂ થવાના હતા.

વરપક્ષવાળા જાન લઈને ડીજેના તાલ પર નાચતા નાચતા અને આતશબાજી સાથે મંડપમાં પહોંચ્યા હતા. વંદનાબેનના લગ્ન વડદલા ખાતી નક્કી કર્યા હતા. જ્યારે વરપક્ષવાળા મંડપ પાસે પહોંચે છે.

ત્યારે સોલંકી નરવતસિંહ ચંદ્રસિંહની પુત્રી વંદના કુવરબાને અચાનક ચક્કર આવ્યા હતા અને તેઓ લગ્ન મંડપમાં પહોંચે તે પહેલા તો ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા. આ ઘટના બનતા જ લગ્નમંડપમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

વંદનાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ડોક્ટરે વંદનાબેનને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરની વાત સાંભળીને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા.

લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ ગયું હતું. તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. પુત્રીની ડોલીમાં વિદાય કરવાની હતી. ત્યારે પુત્રીની ઘરથી નિકળતા માતા-પિતા સહિત આખું ગામ રડી પડ્યું હતું. ઘટનાસ્થળે હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના દિવસે જ દુલ્હનનું મૃત્યુ : લગ્નમંડપમાં પહોંચે તે પહેલા ચક્કર આવતા દુલ્હનનું મૃત્યુ – આખું ગામ હીબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*