ઘરમાંથી પિતા અને બે દીકરીઓનું મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે, અંદરનું દ્રશ્યો જોઈને ભલભલા લોકોનો આત્મા કંપી ઉઠ્યો…જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 4:26 pm, Tue, 15 November 22

આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મંગળવારના રોજ સવારે એક પિતા અને તેની બે દીકરીઓના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પુત્રીઓના મૃતદેહ એક પંખા પર દુપટ્ટા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

જ્યારે પિતાનું મૃતદેહ બીજી રૂમમાં પંખા પર લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.મળતી માહિતી અનુસાર રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ સુસાઇડ નોટ પોપટના પાંજરા પાસે મૂકવામાં આવી હતી. પાંજરામાં હાજર બંને પોપટનો પણ જીવ લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ગોરખપુરની છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી રહે છે. આ ઘટના જીવ લેવાની છે કે સુસાઇડની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરે તો 45 વર્ષીય જીતેન્દ્ર શ્રીવાસ્તવ એની બે દીકરીઓ 16 વર્ષીય માન્યા શ્રીવાસ્તવ અને 14 વર્ષીયા દીકરી માનવી શ્રીવાસ્તવ સાથે રહેતા હતા. તેમની સાથે જીતેન્દ્ર શ્રીવાસ્તવના પિતા ઓમ પ્રકાર શ્રીવાસ્તવ પણ રહેતા હતા. જીતેન્દ્રની પત્નીનું બે વર્ષ પહેલા કેન્સરના કારણે અવસાન થયું હતું. જીતેન્દ્ર ટેલેરિંગનું કામ કરતો હતો. જ્યારે તેમના પિતા ઓમ પ્રકાશ એક ખાનગી કંપનીમાં ગાર્ડ છે.

મંગળવારના રોજ સવારે ઓમ પ્રકાશ પોતાની નાઈટ ડ્યુટી કરીને ઘરે પહોંચ્યા હતા. ઓમ પ્રકાશ જ્યારે રાત્રે નાઈટ ડ્યુટી પર જતા હતા ત્યારે તેઓ બહારથી તાળું લગાવીને જતા હતા. પરંતુ મંગળવારના રોજ સવારે તેઓ નાઈટ ડ્યુટી કરીને ઘરે આવે છે ત્યારે ઘરનો ગેટ પહેલેથી જ ખુલ્લો હોય છે. ઓમ પ્રકાશ જ્યારે અંદર જાય છે ત્યારે એક રૂમમાંથી તેમને પોતાની બંને પૌત્રીઓના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

જ્યારે તેમના દીકરાનું મૃતદેહ અન્ય એક રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ દ્રશ્યો જોઈને ઓમ પ્રકાશ ચીસો પાડતા પાડતા બહાર દોડી આવે છે. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

ઓમપ્રકાશનું કહેવું છે કે, તેમના દીકરા અને તેની બંને દીકરીઓના જીવ લઈ લેવામાં આવ્યા છે. પોલીસને ઘરમાંથી કાપડથી ઢાંકેલા બે પોપટ મળી આવ્યા હતા. નજીકમાં એક સુસાઇડ નોટ પડી હતી તેમાં લખ્યું હતું કે અમારા મૃત્યુ પછી બંને પોપટને છોડી દેજો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરમાંથી પિતા અને બે દીકરીઓનું મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે, અંદરનું દ્રશ્યો જોઈને ભલભલા લોકોનો આત્મા કંપી ઉઠ્યો…જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*