રાજ્યના મુખ્યમંત્રીએ જનતાને કરી અપીલ, જો નિયમો નહી માનો તો સંપૂર્ણ લોકડાઉન…

Published on: 10:14 am, Thu, 5 August 21

સમગ્ર દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કોરોના ની બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો અનેક રાજ્યો અનલૉક ની પ્રક્રિયા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે બીજી લહેર માં રાહત મળતા ઓરિસ્સામાં પણ અનલૉક ની પ્રક્રિયા ચાલુ છે.

ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ નાગરિકોને કોરોના નિયમોને લઈને ચેતવણી આપી છે. ઓરિસ્સાના મુખ્યમંત્રીએ કહ્યું કે જો રાજ્યમાં કોરોના નિયમનું પાલન નહીં થાય તો સરકાર સંપૂર્ણ રાજ્યમાં લોકડાઉન લગાવી શકે છે.

આ ઉપરાંત તેમને કહ્યું કે અનેક સ્થળો પર સતત ભીડ વધી જાય છે અને કોરોના નિયમનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 1 ઓગસ્ટથી કોરોનાના પ્રતિબંધોમાં રાહત આપી છે.

આ ઉપરાંત તેમને કહ્યું કે ઓરિસ્સા એ આવી સ્થિતિનો સામનો કર્યો નથી જે અન્ય રાજ્ય કર્યો છે. આ ઉપરાંત દેશના વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે કે કોરોના ની ત્રીજી લહેર જલદી આવી શકે છે. આ ઉપરાંત તેમને કહ્યું કે જો રાજ્ય સરકારને લાગ્યું કે રાજ્યમાં કોરોના નિયમનું યોગ્ય રીતે પાલન નથી થતું.

તો રાજ્ય સરકાર દ્વારા મજબુર થઈને સંપૂર્ણ લોકડાઉન કરવું પડશે. આ ઉપરાંત તેમને કહ્યું કે વાયરસ હજુ પણ આસપાસ છે અને તેમાં એક અલગ વેરિએન્ટની રીતે વધારે ગંભીર સાબિત કરવાની પણ ક્ષમતા છે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ રાજ્યનું ભૂવનેશ્વર શહેર દેશનું પહેલું એવું શહેર છે જ્યાં 100 ટકા વેક્સિનેશન થયું છે. આ ઉપરાંત ઓરિસ્સામાં કોરોના ના કુલ 9,80,866 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી અત્યાર સુધી 6102 લોકોના કોરોના ના કારણે મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના મુખ્યમંત્રીએ જનતાને કરી અપીલ, જો નિયમો નહી માનો તો સંપૂર્ણ લોકડાઉન…"

Leave a comment

Your email address will not be published.


*