અમદાવાદ થી ધારી તરફ જઇ રહેલી બસમાં અચાનક લાગી આગ, ચમત્કારથી બસમાં બેઠેલા 47 મુસાફરોનો જીવ બચ્યો…

Published on: 4:10 pm, Wed, 15 September 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. જ્યારે બોટાદ જિલ્લાના ઢસા પાસે રાત્રે એક મોટી ઘટના સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર અમદાવાદથી ધારી તારા બધા રહેલી એસટી બસમાં અચાનક આગ લાગતા થોડીક વારમાં જ આખી બસમાં આગ લાગી ગઈ હતી.

મળતી માહિતી મુજબ જ્યારે બસમાં આગ લાગી ત્યારે બસની અંદર 47 મુસાફરો સવાર હતા. સમગ્ર બસમાં આગ લાગે તે પહેલા બસમાં સવાર 47 મુસાફરો બસમાંથી બહાર નીકળી ગયા હતા.

આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બસ પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાથમિક તપાસ અનુસાર એવું કારણ સામે આવ્યું કે બસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ગઈકાલે થઈ હતી જ્યારે એક બસ અમદાવાદ થી ધારી તરફ જવા રવાના થાય.

ત્યારે મધ્યરાત્રીએ બોટાદ જિલ્લાના તાલુકા પાસે બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં આગ લાગતા બસના ડ્રાઇવર અને કંડકટરે બસને સાઈડમાં ઉભી રાખી ને બસમાં સવાર તમામ લોકોને નીચે ઉતારી દીધા હતા.

બસમાં ગણતરીની મિનિટોમાં જ સમગ્ર બસમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનાની જાણ એસટી વિભાગને થતાં ST વિભાગ બીજી બસ ઘટનાસ્થળે મોકલી અને તમામ લોકોને બસ સ્ટેશન પહોંચાડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ થી ધારી તરફ જઇ રહેલી બસમાં અચાનક લાગી આગ, ચમત્કારથી બસમાં બેઠેલા 47 મુસાફરોનો જીવ બચ્યો…"

Leave a comment

Your email address will not be published.


*