ગઢડા તાલુકાના ચોસલા ગામે આવેલા હનુમાનજી મંદિર આશ્રમના મહંતનું કૂવામાંથી મળી આવ્યું મૃતદેહ – જાણો સમગ્ર ઘટના

Published on: 11:28 am, Fri, 21 January 22

ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચોસલા ગામે આવેલા હનુમાનજી મંદિર આશ્રમના મહંતનું આશ્રમના કૂવામાંથી મૃતદેહ મળી આવતા ભારે ચકચાર ફેલાઇ ગયો છે. મળતી માહિતી અનુસાર હનુમાનજી મંદિર આશ્રમના મહંત છેલ્લા ચાર-પાંચ દિવસથી લાપતા હતા.

આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ગઢડા તાલુકાના નજીક આવેલા ચોસલા ગામે ચૈતન્ય હનુમાનજી મંદિર અને નાનો આશ્રમ આવેલો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં હનુમાનજી મંદિર આશ્રમના મહંત રામદાસ ગુરુ મોહનદાસ નામધારીનું મૃતદેહ કૂવામાંથી મળી આવ્યું હતું. રામદાસ ગુરુ મોહનદાસ નામધારી સિહોર બાજુના રહેવાસી હતા.

મળતી માહિતી અનુસાર છેલ્લા ચાર-પાંચ દિવસથી મહંત રામદાસ ગુરુ મોહનદાસ દાસ નામધારી લાપતા હોવાનું અને પરિચિતો તરફથી પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. હનુમાનજી મંદિર આશ્રમના મહંતનું મૃતદેહ આશ્રમના જ કૂવામાંથી મળી આવ્યું હતું.

આ ઉપરાંત મળતી માહિતી અનુસાર મહંતના માથાના તથા કાનના ભાગ સહિતના ભાગે ગંભીર ઈજા પામેલું મૃતદેહ મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટ મોર્ટમ માટે ગઢડાના સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગઢડા તાલુકાના ચોસલા ગામે આવેલા હનુમાનજી મંદિર આશ્રમના મહંતનું કૂવામાંથી મળી આવ્યું મૃતદેહ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*