અમદાવાદમાં એકલવાયું જીવન જીવતી મહિલાનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું, મૃતક મહિલા બે મહિના પહેલા પોતાની માતાને મળી હતી…

Published on: 1:34 pm, Sun, 24 July 22

અમદાવાદ શહેરમાં હવે બદમાશોને કાયદા વ્યવસ્થા કે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ચોરી, લૂંટ અને જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વેજલપુરમાં એકલવાયું જીવન ગુજરતી મહિલાનો જીવ લેવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાનો જીવ કોને અને કયા કારણોસર લીધો તેનું કારણ હજુ અકબંધ છે.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ લગભગ સાંજના સમયે વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનદનગર વિભાગ-2 માં 104 નંબરના મકાનમાંથી અચાનક ખૂબ જ દુર્ગંધ આવવા લાગી હતી. જેના કારણે આસપાસના લોકો મકાનની બહાર પહોંચી આવ્યા હતા. મકાનમાંથી ખૂબ જ દુર્ગંધ આવવાના કારણે તેમને મકાનની અંદર પ્રવેશ કરીને તપાસ કરી હતી.

જ્યારે તેમને મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી મનીષા દુધેલા નામની મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. આ દ્રશ્યો જોઈને તે લોકો છો કે ઊઠ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના શરીર ઉપર ઈજાના નિશાન હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મહિલાના ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોય તેવા નિશાનો જોવા મળ્યા હતા.

મૃત્યુ પામેલી મનીષાના લગ્ન 2014માં રામકૃષ્ણ નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પતિ સાથે અણ બનાવતા મનીષા એકલવાયું જીવન જીવતી હતી. ત્યારે મનીષાના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાની લઈને મનીષાની માતાએ ફરિયાદ નોંધાવી છે. એવું જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મનીષાનો ખૂબ જ ગુસ્સાવાળો સ્વભાવ હતો.

મનીષા પોતાના માતા પિતા અને ભાઈ બહેન સાથે પણ ઝઘડો કરતી હતી. મળતી માહિતી અનુસાર મનીષા લગભગ બે મહિના પહેલા તેની માતાને મળી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મનીષા ના મૃત્યુ પાછળની હકીકત જાણવાની કોશિશ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં એકલવાયું જીવન જીવતી મહિલાનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું, મૃતક મહિલા બે મહિના પહેલા પોતાની માતાને મળી હતી…"

Leave a comment

Your email address will not be published.


*