રાજકોટના 45 વર્ષે અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ તળાવમાંથી મળી આવી – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 5:24 pm, Tue, 7 June 22

મિત્રો છેલ્લા થોડાક સમયથી ગુજરાત રાજ્યમાં જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. આ ઉપરાંત તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠતા હશે. ત્યારે રાજકોટ નજીક આવેલા વાંકાનેર રોડ પાસે બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાંકાનેર રોડ પર આવેલા સંધા તળાવ માંથી એક 45 વર્ષીય અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાના પગલે આસપાસ રહેતા લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્યારબાદ તળાવમાંથી મૃતદેહને બહાર કાઢીને સમગ્ર ઘટનાને લઇને તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. મૃતક યુવક ડેમમા અકસ્માતમાં પડ્યો? અથવા તો તેમને પોતાનું જીવન ટુંકાવ્યું હશે? અથવા કોઈ અન્ય કારણોસર તેમનું મૃત્યુ થયું હોય છે? આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચાર રાજસ્થાનના ત્રણ યુવકો સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર આવેલા ઇમિટેશનના વેપારીના સાડા પાંચ લાખ રૂપિયા લઇને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઇને વેપારીએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે વેપારીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર અક્ષયભાઈ નામના વ્યક્તિ સંત કબીર રોડ પર જલારામ રોલ એન્ડ કોબા નામની દુકાન ધરાવતા હતા.

અક્ષયભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સીતારામસિંગ બાધારામ, લક્ષ્મીસિંગ અને નરેન્દ્રસિંહ નામના રાજસ્થાનના ત્રણ યુવકો તેમની દુકાનની સામે શિવાલય કોમ્પલેક્ષમાં શિવાની બેંગલ્સ દુકાન ધરાવતા હતા. આ ત્રણેય યુવકો છેલ્લા આઠ મહિનાથી અક્ષયભાઈના પરિચયમાં હતા. તેઓ અક્ષયભાઈ પાસેથી ઇમિટેશનનો માલ ખરીદીને સાઉથના રાજ્યમાં વેચવા માટે લઈ ગયા હતા.

આ ત્રણેય યુવકોએ અક્ષયભાઈને કહ્યું હતું કે, બે દિવસમાં પાછા આવીને તમને માલના પૈસા આપી દઈશ. ત્યારબાદ આ ત્રણેય યુવકો 15 ફેબ્રુઆરીના રોજ પોતાની દુકાન પર તાળું મારીને ભાગી ગયા હતા. આ ત્રણેય વ્યક્તિઓએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટના 45 વર્ષે અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ તળાવમાંથી મળી આવી – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*