અમદાવાદમાં એક જ ઘરમાં એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા – જાણો સમગ્ર ઘટના

Published on: 12:04 pm, Wed, 30 March 22

અમદાવાદમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં વિરાટ નગર વિસ્તારમાં એક મકાનમાંથી એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ જીવ લઈ લીધા હોય તેવી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજી તરફ ઘરના મોભી ફરાર થઈ જતા આ ચારેય લોકોનો જીવ તેમને લીધો હશે તેવી આશંકાઓ પ્રબળ બની છે.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મળતી માહિતી મુજબ ઘરના અલગ અલગ રૂમ માંથી ચાર મૃતદેહો મળી આવ્યા હતા. ચાર દિવસ પહેલા જ્યારે લોકોના જીવ લઈ લેવામાં આવ્યા હતા. તેમના મૃતદેહ ગઈકાલે એક મકાનમાંથી મળી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર દીકરી ચાર દિવસથી ફોન ઉપાડતી ન હોવાથી માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જ્યારે પોલીસ દીકરીના ઘરે પહોંચીને તપાસ કરી ત્યારે અલગ અલગ રૂમ માંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ફરાર પતિ

ફરાર પતિ

મૃતદેહ માંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. આ ઘટનામાં એક મહિલા, તેની વૃદ્ધ દાદીમાં, દીકરા અને દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઇને કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલાના પતિએ ચારેય લોકોનો જીવ લીધો હશે.

મળતી માહિતી અનુસાર વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીમાં મકાન નંબર 30 માં સોનલ મરાઠી તેના પતિ વિનોદ મરાઠી, દીકરો ગણેશ, દીકરી પ્રગતિ અને દાદી સુભદ્રા મરાઠી સાથે રહેતા હતા. છેલ્લા ચાર દિવસથી સોનલબેન તેની માતા અંબાબેનનો ફોન ઉપાડતા ન હતા. તેથી મંગળવારના રોજ સાંજે અંબાબેન એ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે મકાનનો દરવાજો બંધ હતો અને અંદરથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. જેથી પોલીસે મકાનની અંદર જઇને ચેક કર્યું. ત્યારે મકાનમાંથી સોનલબહેન, દાદીમા સુભદ્રાબેન, ગણેશ અને પ્રગતિનું મૃતદેહને અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં એક જ ઘરમાં એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*