અમદાવાદ ના શહેરીજનો માટે સૌથી મોટા રાહતના સમાચાર, જાણો વિગતે.

Published on: 4:19 pm, Wed, 26 May 21

અમદાવાદ શહેરીજનો માટે રાહત ના સમાચાર સામે આવ્યા છે. જોકે અમદાવાદ શહેર ની સૌથી મોટી સમસ્યાની વાત કરવામાં આવે તો તે છે શહેર ની ટ્રાફિક. અમદાવાદ શહેર માં મોટા ભાગ ના વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળે છે જેના કારણે લોકોની ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

જોકે આ માટે તંત્ર દ્વારા પણ ઘણા પગલાંઓ લેવામાં આવે છે તેમ છતાં શહેર ની પરિસ્થિતિ તેમની તેમ જ જોવા મળે છે. ત્યારે આ વચ્ચે હવે શહેરીજનો માટે થોડા રાહત ના સમાચાર સામે આવ્યા છે. જોકે હવે અમદાવાદ થી ગાંધીનગર જતા લોકોએ આ ભારે ટ્રાફિક નો સામનો કરવો પડશે નહિ.

અમદાવાદ માં ટ્રાફિક થી ધમધમતા એસજી હાઇવે પર હવે ટ્રાફિક ભાર હળવો થઈ જશે. જોકે ગાંધીનગર થી અમદાવાદ ને જોડતો વધુ એક બ્રિજ તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ અંદાજિત 28 કરોડ ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

આ નવો બ્રિજ આગામી દિવસોમાં લોકો માટે ખુલ્લો મુકાશે. જે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેક સરખેજ થી ગાંધીનગર સુધી બ્રિજ નિર્માણ નું કામ ચાલી રહ્યુ છે.

તંત્ર ના આયોજન મુજબ કોઈ પણ વ્યક્તિ 20-25 મિનિટ માં ગાંધીનગર થી અમદાવાદ પહોંચી જાય તે રીતે બ્રિજ નું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ ના શહેરીજનો માટે સૌથી મોટા રાહતના સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*