હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશનને લઈને ફરી એક વખત આવ્યા મોટા સમાચાર, જાણો

Published on: 10:22 am, Tue, 27 October 20

કોરોના નું સંક્રમણ અટકાવવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.આ સમય દરમિયાન દેશના તમામ ધંધા સાથે હીરાઉધોગ બંધ હોવાના કારણે રત્ન કલાકારોને ભારે આર્થિક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલના સમયમાં હીરાઉદ્યોગ ધીરે ધીરે વ્યવસ્થિત પાટે ચડી રહ્યો છે ત્યારે અમદાવાદ ડાયમંડ એસોસીએશન દ્વારા હીરાઉદ્યોગમાં દિવાળી વેકેશનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ ડાયમંડ એસોસિયેશન દ્વારા દિવાળીના સમયમાં હીરાઉદ્યોગમાં પડતું વેકેશન ટૂંકું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારી વચ્ચે સુરત અને અમદાવાદ સહિત ગુજરાતના અનેક જગ્યા પર કામ કરતા રત્ન કલાકારોને આર્થિક સંકડામણ નો સામનો કરવો પડયો હતો અને અનલૉક માં ધીમે ધીમે તેજી આવી ગઈ છે તેથી કોરોનાની મહામારી vache હીરાઉદ્યોગમાં રહેતા દિવાળી ના હીરાના કારખાનાઓમાં દિવાળી વેકેશન કરવાનો નિર્ણય અમદાવાદ ડાયમંડ એસોસીએશન દ્વારા લેવામાં આવ્યો છે.

અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના ઉપપ્રમુખ મગનભાઈ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે.શહેરમાં આશરે 200 જેટલા હીરાના કારખાના છે અને તેમાં 70 હજાર કરતા વધુ લોકો કામ કરી રહ્યા છે. હીરા નો મુખ્ય ઉદ્યોગ મુંબઈ અને સુરતમાં છે અને અમદાવાદના હીરાઉદ્યોગ માત્ર મજૂરીકામ એટલે કે.

હીરા ઘસવા અને પોલીસીગ નું વર્ક જ થઈ રહ્યું છે.અમદાવાદ હીરાઉધોગમાં દિવાળી વેકેશન દિવસમાં પડતું હતું પરંતુ હવે આ વર્ષે સાત દિવસનું વેકેશન હશે તેવું અમદાવાદ ડાયમંડ એસોસીએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશનને લઈને ફરી એક વખત આવ્યા મોટા સમાચાર, જાણો"

Leave a comment

Your email address will not be published.


*