ભારત અને ચીન સાથેના વિવાદમાં ભારતીય સેનાના મોટા નિર્ણય થી હવે ચીનની ઉંઘ થઈ જશે હેરાન

Published on: 5:31 pm, Mon, 25 October 21

કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચે આવેલ LAC પર સુરક્ષા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ITBP ની નવી બટાલિયનને મંજૂરી આપવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે અને સરકા તમામ સુરક્ષા દળોને તથા તમામ સગવડો આપવા બાબતે કામે લાગી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે સરકારે ગત વર્ષે ITBP માટે વાણી સીમા ચોકી અને 1 ડઝન શિબિરની મંજૂરી આપી હતી.રાયે વધુમાં જણાવ્યું કે ITBP માટે નવા માનવ સંસાધન અને બટાલિયન ઉપલબ્ધ કરાવવા અંગે વિચારણા અંતિમ તબક્કામાં છે.

નવી બટાલિયન ખાસ કરીને ભારતના પૂર્વ હિસ્સામાં અરુણાચલ પ્રદેશ સેક્ટરમાં તેનાત કરવામાં આવશે.ITBP ની નવી બટાલિયન અને પૂર્વોત્તર માં એક સેકટર મુખ્યાલય ને મંજૂરી આપવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે છેલ્લા બે વર્ષથી વિચારણામાં છે.

પરંતુ ગત વર્ષે નવી સીમા ચોકીને અને શિબિરોને સ્વીકૃતિ ની સાથે જ આ પ્રસ્તાવને પણ ઝડપથી મંજૂરી મળવાની આશા છે. જેમાં આશરે 8000 જેટલા જવાન ભારતીય સીમા પર તહેનાત કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારત અને ચીન સાથેના વિવાદમાં ભારતીય સેનાના મોટા નિર્ણય થી હવે ચીનની ઉંઘ થઈ જશે હેરાન"

Leave a comment

Your email address will not be published.


*