કોરોના સંક્રમણ વચ્ચે સુરતમાં રૂપાણી સરકારની મોટી જાહેરાત, જાણો.

Published on: 5:28 pm, Wed, 7 April 21

સુરતમાં કોરોના નું સંક્રમણ વધતા રાજ્યની રૂપાણી સરકારે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકોમાં અધિકારીઓ પાસે કોરોના ની કામગીરી અંગે માહિતી પણ મેળવી હતી. તેઓએ સુરતમાં કોરોના અંગેની કામગીરી ઝડપી કરવા નિર્દેશ કર્યો હતો.

2500 રેમડેસવિર ઇન્જેક્શન નો જથ્થો આજરોજ સુરત મોકલવામાં આવશે.નર્સિંગ હોમ માં કોરોના સારવાર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.કોરોનાવાયરસ નું સંક્રમણ જયારે વધી રહ્યુ છે ત્યારે વધુ 50 ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે.

સુરત શહેરના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી અને જેમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જે આગામી સમયમાં જોવા મળશે કેટલા અસરકારક છે.

આ બેઠકમાં મુખ્યત્વે ત્રણ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં પ્રથમ નિર્ણય શહેરમાં 2500 રેમડેસવીર જથ્થો મોકલવામાં આવશે અને આ ઉપરાંત નર્સિંગહોમ શરૂ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

અને શહેરમાં પહેલા 50 ધન્વંતરી રથ ચાલતા હતા તેની સંખ્યા આવે ડબલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે સુરત આવીને ત્રણ મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી છે.

ગુજરાતમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં દિવસેને દિવસે કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે.

છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોના ના નવા 17 હજાર 180 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોના ના નવા 3280 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 121 દિવસ બાદ કોરોના ની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના સંક્રમણ વચ્ચે સુરતમાં રૂપાણી સરકારની મોટી જાહેરાત, જાણો."

Leave a comment

Your email address will not be published.


*