2020-21 ના બજેટમાં ખેડૂતો માટે કરાઇ મોટી જાહેરાત, ખેડૂતોને થશે આ મોટો ફાયદો.

Published on: 3:25 pm, Mon, 1 February 21

દેશ ના નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2020-21 શું કરવામાં આવ્યું છે અને આ બજેટમાં તમામ વર્ગના લોકો માટે અનેક યોજનાઓની જાહેરાતો કરવામાં આવી રહી છે. આ બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

દેશ ના નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સ્વામિત્વ યોજના ને હવે દેશભરમાં લાગુ કરવામાં આવશે. એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવી રહી છે અને ઓપરેશન ગ્રીન સ્કીમ ની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં ઘણા પાકને સામેલ કરવામાં આવશે અને ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવશે.નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી કહેવામાં આવ્યું છે કે, પાંચ ફિશીંગ હાર્બર ને આર્થિક ગતિવિધિ ના હબ ના રૂપ માં તૈયાર કરવામાં આવશે.

પ્રવાસી મજૂરો માટે દેશભરમાં એક રાસન યોજના શરૂ કરવામાં આવી છે અને પોર્ટલની શરૂઆત પણ કરવામાં આવશે.આ પ્રોટલ માં માઈગ્રેટ વર્કર થી જોડાયેલા ડેટા હશે અને મહિલાઓને બધી શિફ્ટ માં કામ કરવાની પરવાનગી મળશે,નાઈટ શિફ્ટ માટે યોગ્ય સુરક્ષા પણ આપવામાં આવશે.

અને MSME સેક્ટર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે અને બજેટ પણ વધારવામાં આવ્યું છે. FY21 માં ખેડૂતોને એમ એસ પી પર 75,100 કરોડ ફાળવવામાં આવ્યા છે અને FY20 માં ઘઉં માટે ખેડૂતોને 62802 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "2020-21 ના બજેટમાં ખેડૂતો માટે કરાઇ મોટી જાહેરાત, ખેડૂતોને થશે આ મોટો ફાયદો."

Leave a comment

Your email address will not be published.


*