આંદોલન કરી રહેલા ખેડૂતો સાથેની બેઠક બાદ કૃષિ મંત્રીએ આપ્યું મોટું નિવેદન.

Published on: 10:23 am, Sun, 6 December 20

સરકાર અને ખેડૂતો વચ્ચે ની વાતો નો ગઈકાલે પાંચમો રાઉન્ડ સમાપ્ત થયો છે.નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાતચીત થઈ જે નીર્થક હતી.ખેડૂતો સાથેની વાતચીત પૂર્ણ થયા પછી કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયેલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.તેમને કહ્યું કે સારા માહોલમાં ખેડૂતો સાથે વાટાઘાટો થઈ છે અને સરકારને કેટલાક સૂચનો જોઈએ છે. તેમણે એમ પણ કહ્યું કે એમ એસ પી ચાલુ રહેશે, જે મામલે કોઇપણ પ્રકારની શંકા કરવાની જરૂર નથી.

અને કહ્યું કે એસએસપી ચાલુ છે અને ચાલુ જ રહેશે. જો આપણા મનમાં અને લગતી કોઈ શંકા છે તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ.તોમરે કહ્યું કે કૃષિ બિલ ખેડૂતોના હિતમાં લાવવામાં આવ્યું છે. આંદોલન છોડી ને ચર્ચા નો રસ્તો અપનાવવા અપીલ કરીએ છીએ અને અમે ઇચ્છીએ છીએ.

કે કોઈ સૂચન મળે અને સરકાર સમાધાનનો રસ્તા તરફ વળશે. બેઠક બાદ કૃષિ મંત્રીએ કહ્યું કે એમએસપી મુદ્દે ખેડૂતો ચિંતા ન કરે અને એમએસપી તો રહેશે.આ ઉપરાંત તેમને બેઠકોને ફળદુ બનાવી હતી.

અને ખેડૂતોને પોતાની અને દિલ્હીના નાગરિકોને સુવિધા સાચવવા માટે આંદોલન સમાપ્ત કરી દેવા વિનંતી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આંદોલન કરી રહેલા ખેડૂતો સાથેની બેઠક બાદ કૃષિ મંત્રીએ આપ્યું મોટું નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*