25 વર્ષની અભિનેત્રીએ સાડી વડે ગળાફાસો ખાઈ ને પોતાનો જીવ કર્યો ટૂંકો, જાણો શા માટે ભર્યું આ પગલું…

Published on: 10:09 pm, Thu, 30 September 21

આજકાલ દિવસેને દિવસે જીવતો કરવાની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો કંઈક મજબૂરીના કારણે પોતાનો જીવ ટૂંકો કરે છે અને ઘણા લોકો આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોવાના કારણે પોતાનો જીવ ટૂંકો કરે છે. ત્યારે એક અભિનેત્રીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો છે. ઉપરાંત અંદરની રૂમમાંથી એક ચિઠ્ઠી પણ મળી છે.

મળતી માહિતી મુજબ અભિનેત્રી બેંગલુરુના દક્ષિણ જિલ્લામાં કુંબલગોડુના એક એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. ઉપરાંત અભિનેત્રીએ ચિઠ્ઠીમાં પોતાનો જીવ ટૂંકો કરવા પાછળ કોઇને જવાબદાર ઠેરવ્યા નથી.

આ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અભિનેત્રીનું નામ સૌજન્યાના છે. તે મૂળ કોડગુ જિલ્લાના કુશલ નગરની રહેવાસી હતી.

મળતી માહિતી મુજબ ચિઠ્ઠી 27 સપ્ટેમ્બરના રોજ લખવામાં આવી હતી. ઉપરાંત અભિનેત્રીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તે ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને અભિનેત્રીના માતા-પિતા અને તેના મિત્રો સાથે પૂછપરછ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અભિનેત્રીએ જાતે જ પોતાનો જીવ ટૂંકો કર્યો છે. અભિનેત્રીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તેને કોઇ બીમારી ન હતી પરંતુ તે માનસિક રીતે પરેશાન નથી તે કારણોસર તેણે આ પગલું ભર્યું હતું.

આ ઉપરાંત તેને ચિઠ્ઠીમાં બધાનો આભાર માન્યો છે જેણે મુશ્કેલીના સમયમાં તેનો સાથ આપ્યો. મળતી માહિતી અનુસાર આ અભિનેત્રી ઘણી જાણીતી ટેલિવિઝનની સિરિયલમાં કામ કરી ચૂકી હતી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ પણ કરી ચૂકી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "25 વર્ષની અભિનેત્રીએ સાડી વડે ગળાફાસો ખાઈ ને પોતાનો જીવ કર્યો ટૂંકો, જાણો શા માટે ભર્યું આ પગલું…"

Leave a comment

Your email address will not be published.


*