23 વર્ષની ટીવી એક્ટ્રેસે પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, એક્ટ્રેસેના પિતાએ કહ્યું એવું કે…

Published on: 2:46 pm, Tue, 21 June 22

મિત્રો વધુ એક ટીવી એક્ટ્રેસે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પોપ્યુલર ટીવી એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાએ ઘરમાં પંખા સાથે લટકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઓડિશાના ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાંથી ભાડાના મકાનના ઘરમાં પંખા સાથે લટકીને રશ્મિરેખાએ પોતાનું જીવન ટુંકાવ્યું છે.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. રશ્મિરેખાએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે, તેનુ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

સમગ્ર ઘટનાને લઇને રશ્મીરેખાના પિતાએ કહ્યું કે, તેમની દિકરીના મૃત્યુ માટે સંતોષ પાત્ર જવાબદાર છે. રશ્મીરેખા સંતોષ પાત્ર સાથે લિવ-ઈનમાં રહેતી હતી. પોલીસ રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, રશ્મીરેખાનું મૃત્યુ 18 જૂનના રોજ થયું હતું. મળતી માહિતી અનુસાર સુસાઇડ નોટમાં રશ્મીરેખાએ કોઇને જવાબદાર ઠેરવ્યા નથી.

હાલમાં આ સુસાઈટનો કેસ લાગી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં તપાસ ચાલી રહી છે. રશ્મીરેખાના પિતાનું કહેવું છે કે, મારા દિકરીના મૃત્યુની જાણ મને સંતોષે કરી હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાને લઈને રશ્મિના મકાનમાલિકે જણાવ્યું હતું કે, રશ્મીરેખા અને સંતોષ બન્ને પતિ-પત્નીની જેમ રહેતા હતા.

મળતી માહિતી અનુસાર રશ્મીરેખા તને બોયફ્રેન્ડ સંતોષ પાત્ર સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. છેલ્લા થોડા દિવસોથી બંને અલગ રહેવા લાગ્યા હતા.રશ્મીરેખા ટીવી સિરિયલ ‘કેમિતી કહીબી કહા’ના રોલ માંથી જાણીતી બની હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "23 વર્ષની ટીવી એક્ટ્રેસે પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, એક્ટ્રેસેના પિતાએ કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*